'ભાજપ જ ભાજપને હરાવશે', આપની જીત પર સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા
'ભાજપ જ ભાજપને હરાવશે', આપની જીત પર સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા
Published on: 28th April, 2026

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય ચર્ચાઓને નવી દિશા આપી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવેલી આગાહી હવે હકીકતમાં બદલાતી જોવા મળી રહી છે. ચૂંટણી પહેલાં મનસુખ વસાવાએ કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે” અને પક્ષની અંદરની નીતિઓ ભાજપને જ ભારે પડશે. ખાસ કરીને ટિકિટ વહેંચણી અંગે તેમણે સિનિયર નેતાઓને અવગણવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.