સુરતના વોર્ડ નંબર 4માં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની હાર
સુરતના વોર્ડ નંબર 4માં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની હાર
Published on: 28th April, 2026

સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 4 (કાપોદ્રા)માં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાર સાથે ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ગત ચૂંટણીમાં આપે કબજે કરેલી આ બેઠક પરથી ભાજપે આખી પેનલ પાછી ખેંચી લીધી છે, જેમાં હેતલબેન રાજેશભાઈ પરમાર, હંસાબેન મહેશભાઈ ગજેરા, અરવિંદભાઈ કરસનભાઈ કાકડીયા અને મહેશભાઈ પોપટભાઈ કાકડીયા ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે.