અમદાવાદના ચંડોળા તળાવમાં મકાનો દૂર કરાયા બાદ આવાસ ના ફાળવાતા આક્રોશ
અમદાવાદના ચંડોળા તળાવમાં મકાનો દૂર કરાયા બાદ આવાસ ના ફાળવાતા આક્રોશ
Published on: 03rd September, 2026

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનોના અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને હજુ સુધી આવાસ ફાળવવામાં આવ્યા નથી. ફોર્મ ભર્યાના 6 મહિના પછી પણ કાર્યવાહી ન થતાં, 200થી વધુ લોકોએ દાણીલીમડા વોર્ડના કોંગ્રેસ કોર્પોરેટર શહેજાદખાન પઠાણની આગેવાની હેઠળ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. અસરગ્રસ્તો માગણી કરી રહ્યા છે કે જ્યાં સુધી ઘર નહીં મળે ત્યાં સુધી દર મહિને ₹10,000 ભાડું ચૂકવવામાં આવે અને તાત્કાલિક રહેવાની વ્યવસ્થા કરવામાં આવે.