ભાવનગર-ઉમરાળા બસ અનિયમિતતા: મુસાફરોની પરેશાની, વધારાની બસની માંગ
ભાવનગર-ઉમરાળા બસ અનિયમિતતા: મુસાફરોની પરેશાની, વધારાની બસની માંગ
Published on: 04th July, 2026

ભાવનગરથી ઉમરાળા જતી એસ.ટી.બસની અનિયમિતતાથી મુસાફરો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. સવારે ૯-૩૦નો ફેરો છાશવારે રદ્દ થતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, અને વેપારીઓને ભારે મુશ્કેલી પડે છે. સવારના ૯-૩૦ના ફેરા બાદ બપોરે ૨ વાગ્યા સુધી બીજી કોઈ બસ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત, બપોરની બસ પણ આઉટ ડેપોની હોવાથી નિયમિત નથી. લોકોની આ તકલીફના નિવારણ માટે બસ નિયમિત ચલાવવા અને વધારાની બસ ટ્રીપ શરૃ કરવા માંગ કરતો પત્ર ભાવનગરના ડિવિઝનલ કન્ટ્રોલરને પાઠવવામાં આવ્યો છે.