પાટણના માનપુરા પાટિયા પાસે ટ્રેલરમાં બાઈક અથડાતા દંપતિનું કરુણ મોત
પાટણના માનપુરા પાટિયા પાસે ટ્રેલરમાં બાઈક અથડાતા દંપતિનું કરુણ મોત
Published on: 10th June, 2026

સાંતલપુર તાલુકાના માનપુરા પાટિયા પાસે બાઈક ટ્રેલરમાં ઘૂસી જતાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ભરતભાઈ કુંભાભાઈ અને તેમની પત્ની મિતલબેનનું ઘટના સ્થળે જ મોત થયું. આ દંપતિ પોતાના સંબંધીઓને મળ્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. અકસ્માતની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને મૃતદેહોને વારાહી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા. આ દુર્ઘટનાથી બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.