817 પાટણવાસીઓએ NOTA દબાવ્યું.
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ૮૧૭ મતદારોએ 'નોટા' (NOTA) પર પસંદગી ઉતારીને તમામ પક્ષો અને ઉમેદવારો પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરી ઇતિહાસ રચ્યો છે. ૧૧ વોર્ડના ૧૧૪ ઉમેદવારો સામે જનતાની આ નારાજગી પાછળ વિવાદાસ્પદ ઉમેદવારોની પસંદગી અને પાયાની સુવિધાઓ ઉકેલવામાં પક્ષોની નિષ્ફળતા મુખ્ય કારણો મનાય છે. નજીવા માર્જિનથી થતી હાર-જીતના ગણિતમાં આટલા મોટા પ્રમાણમાં નોટાનો ઉપયોગ રાજકીય પક્ષો માટે ચેતવણી સમાન છે, જે દર્શાવે છે કે મતદારો હવે પક્ષ કરતાં ઉમેદવારની છબી અને કામગીરીને વધુ મહત્વ આપે છે.
817 પાટણવાસીઓએ NOTA દબાવ્યું.
રાજકોટમાં ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ રાજકોટમાં એક મોટી સફળતા મેળવી છે. CGST કચેરીના એક સુપરિન્ટેન્ડન્ટ અને તેમના વતી લાંચ લેતા એક ટેક્સ કન્સલ્ટન્ટને 20 લાખ રૂપિયાની માતબર રકમ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદી સામે GST ન ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે CGST કચેરીમાં એક અરજી થઈ હતી. આ કેસમાં મોટી કાર્યવાહી ન કરવા અને મામલો થાળે પાડવા માટે સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
રાજકોટમાં ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન બુધવારે હિંસક ઘટનાઓ અને રાજકીય આક્ષેપ-પ્રતિક્ષેપ વચ્ચે ચાલી રહ્યું છે. નોઆપાડા, ફલતા અને બાલી જેવા વિસ્તારોમાં EVM ગરબડ અને ભાજપ-TMC કાર્યકરો વચ્ચેની અથડામણને કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું છે. ઉત્તર 24 પરગણાના બારાનગરમાં બૂથ નંબર 72 પર પાંચ વખત EVM મશીન બદલવા છતાં મતદાન શરૂ ન થઈ શકતા મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ, નોઆપાડામાં ભાજપના નેતા અર્જુન સિંહે TMC પર બૂથની બહાર ડમી EVM રાખીને મતદારોને ભ્રમિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા
રાજનાથ સિંહ: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આપેલા નિવેદન પર આજે બુધવારે કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશનો આરોપ છે કે શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન(SCO)ની બેઠકમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે રાજનાથ સિંહે PM નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આ પ્રકારનું કથિત નિવેદન આપ્યું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કર્યો કે પાકિસ્તાનને લઈને ભારતે નવો દૃષ્ટિકોણ અપનાવ્યો છે, જે PM નરેન્દ્ર મોદીની અમેરિકાને ખુશ કરવાની નીતિનો હિસ્સો છે અને ચીન સામે સંતુલિત આત્મસમર્પણનો ભાગ છે.
રાજનાથ સિંહ: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026
ગુજરાત રાજ્ય કેબિનેટ બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને લઈને ચર્ચા થઈ છે. ગત વખતે દિલ્હીમાં યોજાયેલી જ આંતરરાષ્ટ્રીય BRICS દેશોની હાઇ-લેવલ બેઠક આ વખતે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરના લીલા હોટેલમાં આ આંતરરાષ્ટ્રીય સમિટ યોજાશે, જેમાં 11 મેના રોજ PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ બેઠકનું મહત્વ એટલા માટે પણ વધે છે કારણ કે ગયા વખતે દિલ્હીમાં BRICSના પ્રતિનિધિઓ ભેગા થયા હતા, જ્યાં “યુથ સબ-ગ્રુપ” પર ખાસ ફોકસ સાથે ચર્ચા થઈ હતી.
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026
35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન
શહેરના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં આજે ક્રાઈમ બ્રાન્ચના કાફલાએ ધામા નાખ્યા છે. 1992માં થયેલી એક યુવતીની કથિત હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે JCB મશીનો વડે ખોદકામ શરૂ કર્યું છે. આશરે 35 વર્ષ પૂર્વે એક યુવતીની તેના પરિવારના જ સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને આરોપીના જ ઘરમાં આવેલા એક કૂવામાં દાટી દેવામાં આવી હતી. આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીના પરિવારના સભ્યોને મૃતક યુવતીના વારંવાર ડરામણા ભાસ થવા લાગ્યા.
35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન
વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: રાહુલ ગાંધીના પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અંદામાન-નિકોબારમાં શરૂ થનારા 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' સામે સખત વાંધો ઉઠાવ્યો છે. હાલમાં જ ગ્રેટ નિકોબારના કેમ્પબેલ બેની મુલાકાત લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી કે વિકાસના નામે પેઢીઓ જૂના 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અમૂલ્ય જંગલોનો નાશ કરવામાં આવશે, જે ખરેખર વિકાસ નહીં પણ વિનાશ નોતરનારી બાબત છે. આ પ્રોજેક્ટને તેમણે પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિ વિરુદ્ધનો મોટો ગુનો ગણાવ્યો છે.
વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: રાહુલ ગાંધીના પ્રહાર
દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન'
ગુજરાતમાં હવે પ્રવાસીઓની સુરક્ષા માત્ર કાયદો-વ્યવસ્થા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેમને મિત્રસભર વાતાવરણ પૂરું પાડવામાં આવશે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રવાસન સ્થળો પર સુરક્ષા અને સુવિધા વધારવા માટે અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રથમ તબક્કે ત્રણ મુખ્ય પર્યટન જિલ્લાઓ ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગને આવરી લેવામાં આવશે.
દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન'
બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં બીજા તબક્કાનું મતદાન આજે ભારે તણાવ અને હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ વચ્ચે ચાલુ છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપના શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભવાનીપુરમાં એક જ મતદાન કેન્દ્ર પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચી જતાં વિસ્તારમાં તણાવ પેદા થયો હતો. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનરજી મતદારોમાં ડર ફેલાવવા માટે મોટી સંખ્યામાં બહારના લોકોને સાથે લઈને ફરી રહ્યા છે. તેમણે કહ્યું, 'હું માત્ર મારા સુરક્ષા ગાર્ડ્સ સાથે છું.'
બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આરોગ્ય અને વહીવટી વિભાગમાં 2,500થી વધુ હોદ્દા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 4 મુખ્ય સંવર્ગોમાં નિમણૂક કરાશે. ફિમેલ હેલ્થ વર્કરની 1948 જગ્યા, મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ના હોદ્દા માટે 420 જગ્યા, જુનિયર ક્લાર્ક-કમ-એકાઉન્ટ ક્લાર્કની 164 જગ્યા, લેબોરેટરી ટેકનિશિયન 61 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત બેઠકોની વિશેષ જોગવાઈ કરાઈ છે.
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર
રાજકોટમાં સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ટક્કર
રાજકોટના મોટી ટાંકી ચોક પાસે આજે સવારે પૂરપાટ ઝડપે જતી સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાનચાલકે બેદરકારીપૂર્વક ઝડપથી વળાંક લેતા વાન બસ સાથે અથડાઈને રસ્તા પર પલટી ગઈ હતી, જેમાં સવાર ૫ વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક બાળકીઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડી હતી. સીસીટીવી ફૂટેજમાં વાનચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાએ સ્કૂલ વાહનોની અનિયંત્રિત ગતિ અને સુરક્ષાના નિયમોના અમલીકરણ સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.
રાજકોટમાં સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ટક્કર
6 ઇંચનું રેમ્બો ચપ્પુ યુવકની આંગળીની આરપાર
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર આવાસમાં મધ્યરાત્રિએ હિંસક હુમલાની ઘટના બની છે. 'સુલતાન' નામના શખ્સની શોધમાં આવેલા હથિયારધારી ટોળકીએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર ચપ્પુ અને કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૯ વર્ષીય બોબીની આંગળીમાં ૬ ઈંચનું ચપ્પુ ફસાઈ ગયું હતું, જ્યારે તેના ભાઈ સહિત અન્ય યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. વેસુ પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે.
6 ઇંચનું રેમ્બો ચપ્પુ યુવકની આંગળીની આરપાર
ભાજપના ધૂંરધરો પ્રચારથી દૂર રહ્યા, ધારાસભ્યોએ લાજ બચાવી
અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓની સૂચક ગેરહાજરી વચ્ચે વર્તમાન ધારાસભ્યો અને મંત્રીઓએ પ્રચારની કમાન સંભાળી હતી. કેટલાક પૂર્વ નેતાઓ દ્વારા વિપક્ષને છૂપી મદદ કરવાના આક્ષેપો અને બગસરામાં 'આપ'ના વિજયે પક્ષમાં ચિંતા વધારી છે. ૨૦૨૪થી ચાલી રહેલા આ વિખવાદ અને નિષ્ક્રિય રહેલા નેતાઓ સામે આગામી સમયમાં હાઈકમાન્ડ દ્વારા કડક કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે.
ભાજપના ધૂંરધરો પ્રચારથી દૂર રહ્યા, ધારાસભ્યોએ લાજ બચાવી
બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જૂની અદાવતને લઈ ફરિયાદી પર આઠ લોકોએ હુમલો કર્યો
અમદાવાદના બાપુનગરમાં જૂની અદાવતને લીધે આઠ જેટલા અસામાજિક તત્વોએ એક ઓફિસ પર લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. રાહુલ મરાઠી અને તેના સાથીદારો દ્વારા કરવામાં આવેલી આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફરિયાદી મલખાન સિંહ ચૌહાણ સામે પણ અગાઉ મારામારીના કેસ નોંધાયેલા છે. હાલમાં ફરિયાદી અને આરોપી બંને ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાપુનગર અને શહેરકોટડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જૂની અદાવતને લઈ ફરિયાદી પર આઠ લોકોએ હુમલો કર્યો
વેરાવળ નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી
વેરાવળ-પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કાંટાની ટક્કર બાદ ૨૪ બેઠકો મેળવી સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસે ૨૦ બેઠકો સાથે જોરદાર લડત આપી હતી. કુલ ૪૪ બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૧ ના પરિણામો ભાજપ માટે નિર્ણાયક સાબિત થયા હતા. ગત ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે. વિજય બાદ ભાજપ દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ પરિણામો આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો માટે મહત્વના સંકેત માનવામાં આવે છે.
વેરાવળ નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી
મોરબીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ.
મોરબી-માળિયા વિધાનસભા હેઠળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થતા રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના નિવાસસ્થાને વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. મોરબી મહાનગરપાલિકાની તમામ ૫૨ બેઠકો સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. મંત્રીએ આ જીતને કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ ગણાવી નવનિર્વાચિત સભ્યોને આગામી પાંચ વર્ષ ભ્રષ્ટાચારમુક્ત અને પ્રમાણિકતાથી લોકસેવા કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો અને સિરામિક એસોસિએશનના અગ્રણીઓએ હાજર રહી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મોરબીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ.
મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી છતાં ભાજપને પ્રમુખ પદ મળવા સામે પ્રશ્નાર્થ.
મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠકોમાંથી ૧૭ બેઠકો જીતી ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને ૭ બેઠકો મળી છે. જોકે, પ્રમુખપદ માટે અનામત એકમાત્ર 'નેકનામ' એસટી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરીયા વિજેતા થતા ભાજપ માટે વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. બહુમતી હોવા છતાં અનામત બેઠક ગુમાવવાને કારણે પ્રમુખ નક્કી કરવા બાબતે ભાજપ મૂંઝવણમાં છે. બીજી તરફ, વાંકાનેરની તિથવા બેઠક પર કોંગ્રેસે સૌથી વધુ મતોથી જીત મેળવી પોતાની પરંપરાગત બેઠકો જાળવી રાખી છે.
મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી છતાં ભાજપને પ્રમુખ પદ મળવા સામે પ્રશ્નાર્થ.
લોકરની ચાવીથી 12 લાખ લૂંટ્યા ને કેશ પેટી તોડી 38 લાખ કાઢ્યા.
સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલી SBI શાખામાં છ સશસ્ત્ર લૂંટારૂઓએ ફિલ્મી ઢબે અંદાજે ₹50 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને પ્રવેશ કરી કર્મચારીઓ અને ગ્રાહકોને પિસ્તોલની અણીએ બંધક બનાવ્યા હતા. બેંકમાંથી ₹12 લાખ અને CMS કેશવાનમાંથી ₹38 લાખની લૂંટ કરી તેઓ ત્રણ બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી છે, જ્યારે કેશવાનના ગનમેનની ભૂમિકા શંકાના દાયરામાં હોવાથી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
લોકરની ચાવીથી 12 લાખ લૂંટ્યા ને કેશ પેટી તોડી 38 લાખ કાઢ્યા.
પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન, PM મોદી પહોંચ્યા કાશી વિશ્વનાથ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન બુધવારે સવારે 7:00 વાગ્યે શરૂ થયું. આ બીજા તબક્કામાં, સાત જિલ્લાઓમાં ફેલાયેલા 142 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 32,173,837 મતદારો મતદાન કરશે. તો બીજી તરફ પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. પીએમ મોદી કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરી. મહાદેવજીનો અભિષેક કર્યો. અહીં શંખનાદ તથા ઢોલ નગારા વગાડીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.
પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન, PM મોદી પહોંચ્યા કાશી વિશ્વનાથ
ઇરાન પાસે પરમાણુ હથિયાર હશે તો સમગ્ર દુનિયા બંધક બની જશે, જર્મની પર ભડક્યા ટ્રંપ.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જની આકરી ટીકા કરતા આરોપ લગાવ્યો છે કે મર્જ ઈરાનના પરમાણુ હથિયારો પ્રત્યે નરમ વલણ ધરાવે છે, જે વિશ્વ માટે ખતરનાક છે. ટ્રમ્પે જર્મનીની આર્થિક સ્થિતિને પણ નબળી ગણાવી હતી. બીજી તરફ, ચાન્સેલર મર્જે ચેતવણી આપી હતી કે ઈરાન ધાર્યા કરતા વધુ શક્તિશાળી છે અને અમેરિકા પાસે આ સંઘર્ષ પૂરો કરવાની કોઈ સ્પષ્ટ યોજના નથી. તેમણે હોર્મુઝની સામુદ્રધુનીમાં માઈન્સના જોખમ અંગે પણ વૈશ્વિક ચિંતા વ્યક્ત કરી હતી.
ઇરાન પાસે પરમાણુ હથિયાર હશે તો સમગ્ર દુનિયા બંધક બની જશે, જર્મની પર ભડક્યા ટ્રંપ.
મોદી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા: 14 કિમીના રોડ શોમાં સમર્થકોએ ફૂલો વરસાવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં ૧૪ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજીને બાબા વિશ્વનાથના દર્શન અને રુદ્રાભિષેક કર્યા હતા. વર્ષ ૨૦૨૬ના તેમના આ પ્રથમ કાશી પ્રવાસ દરમિયાન બટુકોએ શંખનાદ સાથે અને જનતાએ પુષ્પવર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંદિરની મુલાકાત બાદ પીએમ મોદી મુખ્યમંત્રી યોગી સાથે હરદોઈ જવા રવાના થશે, જ્યાં તેઓ મેરઠ અને પ્રયાગરાજને જોડતા ૫૯૪ કિમી લાંબા ગંગા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રવાસ વિકાસ અને આસ્થાના સંગમ સમાન રહ્યો છે.
મોદી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા: 14 કિમીના રોડ શોમાં સમર્થકોએ ફૂલો વરસાવ્યા.
સરકારના 8 મંત્રીઓ ઘર આંગણે ભાજપને જીતાડી ન શક્યા.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક જીત મેળવી ૨૦૨૭ની વિધાનસભાની તૈયારીઓ મજબૂત કરી છે, પરંતુ આ ભવ્ય વિજય વચ્ચે આઠ મંત્રીઓ પોતાના જ વિસ્તારમાં પક્ષને જીતાડવામાં નિષ્ફળ રહ્યા છે. શિક્ષણ મંત્રી, કૃષિ મંત્રી અને વન મંત્રી સહિતના દિગ્ગજોના ગામોમાં કોંગ્રેસ, આપ અને અપક્ષોનો વિજય થયો છે. આ પરિણામોનું વિશ્લેષણ કરવા અને મનપામાં નવી બોડી રચવા માટે આજે 'કમલમ' ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાશે, જેમાં હારેલી બેઠકો અંગે ગંભીર ચર્ચા થવાની શક્યતા છે.
સરકારના 8 મંત્રીઓ ઘર આંગણે ભાજપને જીતાડી ન શક્યા.
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું
સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપની થયેલી ભવ્ય જીતમાં પાટીદાર વિસ્તારોમાં ખીલેલું કમળ હરખની વિશેષ હેલી લઈને આવ્યું છે. 2021 માં જે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં બમ્પર મતદાન થયું હતું, ત્યાં ભાજપની કરારી હાર નોંધાઈ હતી. તે વિસ્તારોમાં આ વખતે આપના ઝાડું ઉપર મતદારોનો સાવરણો ફરી વળ્યો છે. 2021 ની ચૂંટણીમાં 'આપ'એ જીતેલા વોર્ડ નં. 2, 3, 4, 5 અને 16 ગુમાવ્યા છે, જ્યારે વોર્ડ નં-7 અને 8 માં પણ ભાજપની પેનલ તોડનારા ઉમેદવારો ઘરભેગા થયા છે.
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું
વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ 'ધમકી'એ પલટી નાંખી બાજી?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર ભવ્ય વિજય મેળવીને કેસરીયો લહેરાવ્યો છે, પરંતુ આ જીતના પાયામાં દબાણ અને ડરની રાજનીતિ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ મતદારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'સરકાર અમારી છે, એટલે કામ પણ અમારે જ કરવાના છે.' જો વિપક્ષને મત આપશો તો તે એળે જશે અને વિકાસના કામો અટકી પડશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રકારની રણનીતિને કારણે મતદારોમાં એક પ્રકારનો ફાળ પેસી ગયો અને અંતે ભાજપની જીતનો માર્ગ મોકળો થયો હતો.
વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ 'ધમકી'એ પલટી નાંખી બાજી?
કેપ્ટન કૂલના ‘કલાકાર’ ફેને બનાવ્યું 25 ફૂટનું ચિત્ર.
વાપીના યુવાન કલાકાર કરણ વિશ્વકર્માએ દમણના ઐતિહાસિક કિલ્લા પર પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનું ૨૫ ફૂટ લાંબુ મહાકાય સ્કેચ બનાવીને પોતાની કલાનો પરિચય આપ્યો છે. ૫૦૦થી વધુ A4 સાઈઝના પેપર જોડીને તૈયાર કરેલી આ કલાકૃતિ પાછળ કરણે સાત દિવસનો કઠોર પરિશ્રમ કર્યો હતો. તેજ પવન અને કાગળ જોડવાના પડકારો છતાં, પોતાના મનપસંદ ખેલાડી પ્રત્યે આદર વ્યક્ત કરવા તેણે આ અનોખું ચિત્ર તૈયાર કર્યું છે. કરણની ઈચ્છા છે કે આ અદભુત ભેટ ખુદ ધોની સુધી પહોંચે.
કેપ્ટન કૂલના ‘કલાકાર’ ફેને બનાવ્યું 25 ફૂટનું ચિત્ર.
બંગાળમાં 142 બેઠકો પર મતદાન , બીજા તબક્કામાં મમતા અને શુભેન્દુની પ્રતિષ્ઠા દાવ પર.
બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સાત જિલ્લાની 142 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં મમતા બેનર્જી અને સુવેંદુ અધિકારી જેવા દિગ્ગજોનું ભાવિ નક્કી થશે. આશરે 3.21 કરોડ મતદારો માટે 41,001 કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યપાલ અને ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાનની અપીલ કરી છે, જ્યારે અમિત શાહે ભ્રષ્ટાચારમુક્ત 'સોનાર બાંગ્લા'ના નિર્માણ માટે યુવાનો અને મહિલાઓને રેકોર્ડ મતદાન કરવા અનુરોધ કર્યો છે. પ્રથમ તબક્કાના અભૂતપૂર્વ મતદાન બાદ આ તબક્કો નિર્ણાયક માનવામાં આવે છે.
બંગાળમાં 142 બેઠકો પર મતદાન , બીજા તબક્કામાં મમતા અને શુભેન્દુની પ્રતિષ્ઠા દાવ પર.
ગુજરાતમાં ગરમ પવનોને કારણે ગરમીમાં વધારો થયો,આજે 44 ડિગ્રી સુધી તાપમાન પહોચી શકે છે.
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આજે 43થી 44 ડિગ્રી ગરમીની આગાહી કરી છે. ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે ડીસા, કંડલા અને વડોદરામાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભુજમાં 40 અને ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેમાં ગઈકાલે ૪૩.૬ ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં પારો ૪૩.૨ ડિગ્રીએ પહોંચ્યો હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હાલમાં હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને આકરી ગરમીની સાથે અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.
ગુજરાતમાં ગરમ પવનોને કારણે ગરમીમાં વધારો થયો,આજે 44 ડિગ્રી સુધી તાપમાન પહોચી શકે છે.
અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી.
અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. જિલ્લા પંચાયતની ૩૪ બેઠકોમાંથી ૩૨ પર ભાજપનો કબ્જો રહ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર ૨ બેઠકો પર સીમિત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં કોંગ્રેસ કરતાં અપક્ષ ઉમેદવારો વધુ મજબૂત સાબિત થયા છે. બીજી તરફ, સાણંદમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવી પંચાયતી રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ભાજપના આ ભવ્ય વિજય સામે વિપક્ષ કોંગ્રેસની સ્થિતિ જિલ્લામાં અત્યંત દયનીય જોવા મળી છે.
અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી.
અમદાવાદના 30 હજારથી વધુ નાગરિકોએ NOTAનું બટન દબાવ્યું
અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં ૩૦ હજારથી વધુ મતદારોએ 'નોટા' (NOTA) પસંદ કરી તમામ ઉમેદવારો સામે નારાજગી વ્યક્ત કરી છે. વર્ષ ૨૦૨૧ની સરખામણીએ આ વખતે નોટામાં ૫,૦૦૦થી વધુ મતોનો વધારો નોંધાયો છે, જેમાં થલતેજ, વસ્ત્રાલ અને રાણીપ જેવા વિસ્તારોમાં સૌથી વધુ અસંતોષ જોવા મળ્યો છે. બીજી તરફ, દરિયાપુર અને જમાલપુરમાં નોટાનો પ્રભાવ ઓછો રહ્યો છે. ૩૦,૮૮૩ જેટલા આ મતો રાજકીય પક્ષો માટે આત્મમંથનનો વિષય છે, કારણ કે મતદારો હવે પક્ષના બદલે ઉમેદવારની કામગીરી અને ગુણવત્તાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.
અમદાવાદના 30 હજારથી વધુ નાગરિકોએ NOTAનું બટન દબાવ્યું
ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી.
ગઢડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભાજપે ભવ્ય વિજય મેળવી તમામ અટકળોનો અંત આણ્યો છે. તાલુકા પંચાયતની ૨૨ બેઠકોમાંથી ભાજપે ૧૫ બેઠકો પર કબ્જો કર્યો છે, જ્યારે કોંગ્રેસને ૪ અને આમ આદમી પાર્ટીને ૩ બેઠકો મળી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, જિલ્લા પંચાયતની તમામ ૭ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. રાજકીય વિશ્લેષકોના ગણિતોને ખોટા પાડી ભાજપે અહીં પૂર્ણ બહુમતી સાથે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળતા મેળવી છે.
ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી.
ભાવનગર કોર્પોરેશનમાં 1995થી ભાજપ અપરાજીત: કોંગ્રેસને ન નફો, ન નુકસાન
2021 નું પુનરાવર્તન, ભાજપને સત્તાનું સુકાન પણ સીટમાં વધારો નહીંભાજપના ૫૨, કોંગ્રેસે ૫૦ મળી કુલ ૧૫૦ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા, ૨૦૨૧ની તુલનામાં ૫.૩૭ ટકા ઉંચું છતાં ભાજપને બેઠકો વધવાની આશા ઉપર પાણી ફરી વળ્યુંભાવનગર - ભાવનગર કોર્પોરેશનમાં ૧૯૯૫થી ભાજપની શરૃ થયેલી વિજય યાત્રાને કોંગ્રેસ રોકી શકી નથી. અપરાજીત ભાજપે ભલે સાતમી વખત સત્તાનું સુકાન સંભાળશે પણ બેઠકો વધવાની આશા ઉપર મતદારોએ ઠંડું પાણી ફેરવી દીધું છે.