PM મોદી 11 મેએ સોમનાથ આવશે, ભવ્ય તૈયારીઓ શરૂ.
PM મોદી 11 મેએ સોમનાથ આવશે, ભવ્ય તૈયારીઓ શરૂ.
Published on: 05th May, 2026

દેશમાં વિધાનસભા ચૂંટણીના વિજય બાદ PM મોદી 11મી મેએ ગુજરાત આવશે. તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સ્થાપનાના 85 વર્ષની ઉજવણીમાં હાજરી આપશે. આ મુલાકાતને લઈને સોમનાથમાં તૈયારીઓ તેજ કરાઈ છે. હેલિપેડ, વીજ પુરવઠો, ટ્રાફિક, પાર્કિંગ અને રોડ-શૉ રૂટ પર સ્વચ્છતા જેવી વ્યવસ્થાઓનું આયોજન કરાઈ રહ્યું છે. કલેકટર દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.