અમરેલી જિલ્લાના રામપરા ગામમાં સિંહોનો ભય
અમરેલી જિલ્લાના રામપરા ગામમાં સિંહોનો ભય
Published on: 02nd June, 2026

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં રાત્રિના સમયે સિંહો દીવાલ કૂદીને ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. સિંહોની ગામમાં વધતી જતી અવરજવર અને ખુલ્લેઆમ ફરવાને કારણે સ્થાનિકો ચિંતિત છે. ગ્રામપંચાયતે વનવિભાગ સમક્ષ સિંહોને ગામથી દૂર ખસેડવા અને કાયમી નિરાકરણ લાવવા તેમજ વન વિભાગમાં વધુ સ્ટાફની નિમણૂક કરવા માટે રજૂઆત કરી છે. આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી ધોરણે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી રહી છે.