ગુજરાતના વહીવટી માળખામાં મોટા ફેરફાર
ગુજરાતના વહીવટી માળખામાં મોટા ફેરફાર
Published on: 02nd June, 2026

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી માળખાને સુધારવા અને કામગીરીમાં વેગ લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં 6 વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીઓને, જેમાં 4 IAS અને 2 GAS અધિકારીઓનો સમાવેશ થાય છે, તેમને તેમની હાલની જવાબદારીઓ ઉપરાંત અન્ય ખાલી પડેલા મહત્વના હોદ્દાઓનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. વયનિવૃત્ત થયેલા અધિકારીઓની જગ્યાઓ ભરવા અને સરકારી કામકાજ સરળતાથી ચાલુ રહે તે હેતુથી આ આંતરિક વ્યવસ્થા કરાઈ છે.