વાવ-થરાદના દૈયપ ગામની શાળાના આચાર્ય પર 15 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મનો આરોપ
વાવ-થરાદના દૈયપ ગામની શાળાના આચાર્ય પર 15 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મનો આરોપ
Published on: 07th September, 2026

વાવ-થરાદ વિસ્તારના દૈયપ ગામની માધ્યમિક શાળામાં ચોંકાવનારી ઘટના બની છે. શાળાના આચાર્ય મનીષ પરમાર પર 15 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ છે. ઘટના બાદ આચાર્યએ પીડિતાને ધમકી આપી હતી. ભયભીત વિદ્યાર્થિનીએ પરિવારને વાત કરતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર પ્રશ્નો ઊભા થયા છે.