અશાંત વિસ્તાર હવે સ્પેસિફાઈડ એરિયા તરીકે ગણી કાર્યવાહી થશે!
અશાંત વિસ્તાર હવે સ્પેસિફાઈડ એરિયા તરીકે ગણી કાર્યવાહી થશે!
Published on: 16th July, 2026

ગુજરાતમાં 'અશાંત ધારા'માં મોટો વહીવટી બદલાવ કરવામાં આવ્યો છે. અશાંત ધારા સુધારા વિધેયક 2026 પસાર થયા બાદ, મહેસૂલ વિભાગે નવા નિયમો સાથેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. હવે 'અશાંત વિસ્તાર' ને બદલે તેને 'સ્પેસિફાઈડ એરિયા' (નિર્દિષ્ટ વિસ્તાર) તરીકે ગણવામાં આવશે. આ વિસ્તારોમાં મિલકતોની ખરીદ-વેચાણ અને ટ્રાન્સફર પર નિયંત્રણ રાખવા નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. મિલકત ટ્રાન્સફર માટે ખાસ કમિટી અને SIT ની રચના થશે, અને ગેરકાયદે ટ્રાન્સફર પર 6 મહિનામાં કબ્જો પરત કરવાનો કડક નિયમ અમલી બન્યો છે.