તમાકુમુક્ત સમાજ માટે જાગૃતિ: 100+ પ્રવૃત્તિઓ, 1 લાખ+ લોકો સુધી પહોંચ
તમાકુમુક્ત સમાજ માટે જાગૃતિ: 100+ પ્રવૃત્તિઓ, 1 લાખ+ લોકો સુધી પહોંચ
Published on: 19th June, 2026

સરકારી ડેન્ટલ કોલેજ, જામનગર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે 20 મે થી 5 જૂન દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવાયું. 100થી વધુ પ્રવૃત્તિઓ દ્વારા તમાકુ અને નિકોટિનના દુષ્પરિણામો, મોઢાના કેન્સર, હૃદયરોગ, ફેફસાંના રોગો અંગે લોકોને જાગૃત કરાયા. તમાકુ છોડવા ઇચ્છુક વ્યક્તિઓને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું. "Unmasking the Appeal" થીમને કેન્દ્રમાં રાખી યુવાનોને આકર્ષવા ઉપયોગમાં લેવાતી માર્કેટિંગ યુક્તિઓ વિશે માહિતી અપાઈ. મૌખિક કેન્સર સ્ક્રિનિંગ, જનજાગૃતિ કેમ્પ, પ્રદર્શનો, સેમિનાર, વર્કશોપ, નાટકો, અને "મારું ઘર તમાકુમુક્ત ઘર" જેવી પહેલો હાથ ધરાઈ. આ સંયુક્ત અભિયાન દ્વારા 1 લાખથી વધુ લોકો સુધી તમાકુમુક્ત સમાજનો સંદેશ પહોંચ્યો.