નર્મદા કેનાલમાંથી પાણી આજવા સરોવરમાં ઠાલવતા સપાટી 207 ફૂટ પર પહોંચી
નર્મદા કેનાલમાંથી પાણી આજવા સરોવરમાં ઠાલવતા સપાટી 207 ફૂટ પર પહોંચી
Published on: 03rd July, 2026

જૂન મહિનો પૂર્ણ થવા છતાં વડોદરા જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે આજવા સરોવરની સપાટી 205 ફૂટ સુધી ઘટી ગઈ હતી, જેનાથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) પાસેથી નર્મદાનું પાણી ખરીદીને 20 જૂનથી નર્મદા કેનાલ દ્વારા આજવા સરોવરમાં છોડવાનું શરૂ કર્યું છે. આગામી એક મહિના સુધી દરરોજ લગભગ 300 MLD પાણી છોડવામાં આવશે, જેના પરિણામે સપાટી 207 ફૂટે પહોંચી છે અને તંત્રને મોટી રાહત મળી છે.