જામનગર નજીક બે અલગ-અલગ વાહન અકસ્માતમાં બેના મોત
જામનગર નજીક બે અલગ-અલગ વાહન અકસ્માતમાં બેના મોત
Published on: 31st August, 2026

જામનગર જિલ્લાના કનસુમરા પાટીયા અને જામજોધપુર નજીક બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે. જામજોધપુર પાસે મોટરસાઇકલ સ્લીપ થતાં એક આદિવાસી ખેતમજૂરનું મૃત્યુ થયું. જ્યારે કનસુમરા પાટીયા પાસે ટ્રકની અડફેટે એક 16 વર્ષીય કિશોરનું દુઃખદ અવસાન થયું. બંને ઘટનાઓમાં પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે.