જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકનું મોત!
જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકનું મોત!
Published on: 21st August, 2026

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ એક બાળકના મૃત્યુ બાદ ચિંતા પ્રસરી છે. જોકે, મૃતક બાળકના સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બીજી તરફ, પોરબંદરથી વધુ એક શંકાસ્પદ બાળ દર્દીને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો છે. કનસુમરા વિસ્તારના આ બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન તેના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવા છતાં ગુરુવારે તેનું મૃત્યુ નિપજ્યું. હાલાર પંથકમાં શંકાસ્પદ કેસોનો આંકડો ડઝનને વટાવી ગયો છે.