સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ
સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ
Published on: 18th July, 2026

ગુજરાતના ઉત્તર ભાગ બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસનો ભય સતાવી રહ્યો છે. જામનગર શહેરમાં બે બાળકોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બંને બાળ દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસની પુષ્ટિ થશે. આરોગ્ય વિભાગ દ્વારા સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ શરૂ કરાઈ છે.