જૂનાગઢના જામવાડી પુલ મામલે ધારાસભ્ય કરગઠીયાએ સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
જૂનાગઢના જામવાડી પુલ મામલે ધારાસભ્ય કરગઠીયાએ સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
Published on: 19th July, 2026

જૂનાગઢ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી સંકલન બેઠકમાં માળીયા-માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા પોતાના વિસ્તારના જામવાડી પુલ અને અન્ય પ્રશ્નોનો ઉકેલ ન આવતા ભારે રોષે ભરાયા હતા. તેમણે ગેરકાયદેસર રીતે બનેલા પુલને કારણે 1000 વિઘા જમીનના ધોવાણ અને ખેડૂતોને થતી મુશ્કેલી અંગે જણાવ્યું, તેમજ શારદાગ્રામ કોલેજની જગ્યા પર થયેલ પેશકદમી દૂર કરવાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆત છતાં નિકાલ ન થતાં તેમણે બેઠકનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, કલેક્ટરે તાત્કાલિક ઉકેલની ખાતરી આપી તેમને ફરી બેસાડ્યા હતા.