વડોદરામાં વાહનચાલકોની સુરક્ષા માટે વુડા સર્કલનો સિંહ 8 મીટર ખસેડાશે
વડોદરામાં વાહનચાલકોની સુરક્ષા માટે વુડા સર્કલનો સિંહ 8 મીટર ખસેડાશે
Published on: 19th July, 2026

વડોદરાના વુડા સર્કલ પર રોજ 1.50 થી 2 લાખ વાહનોની અવર-જવર રહે છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યા રહે છે. વાહનચાલકોને બિનજરૂરી ઊભાં રહેવું પડે છે, બળતણનો બગાડ થાય છે અને પ્રદૂષણ વધે છે. આ સ્થિતિને હળવી કરવા, શહેર પોલીસના ટ્રાફિક વિભાગે વુડા સર્કલના સિંહને 8 મીટર રાત્રી બજાર તરફ ખસેડવાનું સૂચન કર્યું છે. આ ફેરફારથી ટ્રાફિકનો ફ્લો વધુ સરળ બનશે અને અમિતનગર, ફતેગંજ, રાત્રીબજાર તથા કારેલીબાગ તરફનો વાહન વ્યવહાર સુગમ બનશે.