ભરૂચના ઝઘડિયામાં રાષ્ટ્રીય પોલિયો દિવસ નિમિત્તે 0 થી 5 વર્ષના બાળકોને પીવડાવવામાં આવ્યા પોલિયોના ટીપાં
ભરૂચના ઝઘડિયામાં રાષ્ટ્રીય પોલિયો દિવસ નિમિત્તે 0 થી 5 વર્ષના બાળકોને પીવડાવવામાં આવ્યા પોલિયોના ટીપાં
Published on: 29th June, 2026

ઝઘડિયા તાલુકામાં રાષ્ટ્રીય પોલિયો દિવસની ઉજવણી અંતર્ગત 0 થી 5 વર્ષ સુધીના બાળકો માટે પોલિયોના ટીપાં પીવડાવવાનો અભિયાન યોજાયો હતો. ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ જણાવ્યું કે ભારત પોલિયો મુક્ત છે, પણ આ સિદ્ધિ જાળવી રાખવા દરેક રાઉન્ડમાં ટીપાં પીવડાવવા જરૂરી છે. દુ.વાઘપુરાના સરપંચ મુકેશ્ાભાઈ વસાવા અને ઉમલ્લા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દશરથભાઈ પણ ઉપસ્થિત રહ્યા. આરોગ્ય વિભાગ, આશાવર્કર બહેનો અને આંગણવાડી કાર્યકરો ઘરે-ઘરે જઈને આ કામગીરી કરી રહ્યા છે.