ભરૂચમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રક્તદાન કૅમ્પ યોજાયો
ભરૂચમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રક્તદાન કૅમ્પ યોજાયો
Published on: 18th August, 2026

ભરૂચ ખાતે રોટરી કલબ ઓફ ભરૂચ હેરિટેજ અને મદદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં રોટરી પ્રેસીડન્ટ ઝયનુલ સૈયદ, સેક્રેટરી ઈરફાન હિરા, સભ્યો ડો.સુહેલ વાઝા, યાસીન દાદાભાઈ, સમીર પટેલ, સીરાજ સૈયદ તેમજ મેન્ટોર તલકની જમીનદાર અન્ય અગ્રણી સામાજીક કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં એકત્રિત થયેલુ રકત ભરૂચ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવ્યુ હતુ.