ભરૂચમાં શ્રાવણ માસ નિમિત્તે પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ
ભરૂચમાં શ્રાવણ માસ નિમિત્તે પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ
Published on: 18th August, 2026

ભરૂચમાં શ્રાવણ માસની શરૂઆત અને શ્રી પરશુરામ સંગઠનના 13 વર્ષ પૂર્ણ થવાના અવસરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામક આયુષની કચેરીના સહયોગથી, જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને સંગઠન દ્વારા સંયુક્ત રીતે નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું. નવાડેરા દત્ત મંદિરે યોજાયેલા આ કેમ્પનો 100 થી વધુ દર્દીઓએ લાભ લીધો. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી, બ્રહ્મસમાજ પ્રમુખ અને ભાર્ગવ પંચ ટ્રસ્ટના પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.