હાલારમાં ચાંદીપુરા વાયરસનો કહેર!
હાલારમાં ચાંદીપુરા વાયરસનો કહેર!
Published on: 23rd July, 2026

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. સારવાર હેઠળ રહેલા દેવભૂમિ દ્વારકાના બે બાળકોના મૃત્યુ થતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધીમાં કુલ છ શંકાસ્પદ બાળ દર્દી દાખલ થયા હતા, જેમાં ત્રણના મોત થયા છે. જામનગર જિલ્લાના બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે દેવભૂમિ દ્વારકાના સેમ્પલ તપાસ હેઠળ છે. લોકોને સતર્ક રહેવા અને બાળકોને મચ્છર-માખીથી બચાવવા, તેમજ ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવાની અપીલ કરાઈ છે.