જામનગરમાં મનપા આરોગ્ય શાખાની તપાસમાં તાવના ૨૨૯ અને ઝાડા-ઉલટીના ૮૫ કેસો મળ્યા
જામનગરમાં મનપા આરોગ્ય શાખાની તપાસમાં તાવના ૨૨૯ અને ઝાડા-ઉલટીના ૮૫ કેસો મળ્યા
Published on: 20th August, 2026

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાના મેલેરિયા વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં 13 આરોગ્ય કેન્દ્રો હેઠળના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળા સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન, તંત્રની ટીમોને તાવ અને ઝાડા-ઉલટીના કુલ 85 કેસો મળી આવ્યા હતા. 233 ટીમોએ 97,244 ઘરોનો સર્વે કર્યો, જેમાં 1935 ઘરોમાં મચ્છરોના બ્રીડિંગ જોવા મળ્યું. 4,72,507 પાત્રોની ચકાસણીમાં 2088 પાત્રોમાં મચ્છરોના પોરા મળ્યા, જેને નાશ કરાયા. આ તપાસ દરમિયાન તાવના 229 કેસો પણ નોંધાયા હતા.