પેકેટબંધ ખાદ્ય પદાર્થો પર ચેતવણી લેબલ
પેકેટબંધ ખાદ્ય પદાર્થો પર ચેતવણી લેબલ
Published on: 19th August, 2026

ભારતમાં પેકેજ્ડ ફૂડનું વેચાણ અને તેની નિકાસ નોંધપાત્ર રીતે વધી રહી છે, જે બદલાતી જીવનશૈલી અને શહેરીકરણને કારણે આ ખાદ્યપદાર્થો પર લોકોની નિર્ભરતા દર્શાવે છે. જોકે, આ ઉત્પાદનોમાં વધુ પડતી કેલરી, કાર્બોહાઇડ્રેટ, મીઠું અને ચરબી આરોગ્ય માટે હાનિકારક છે, જેનાથી ડાયાબિટીસ, હૃદયરોગ જેવી બીમારીઓ વધી રહી છે. આ સમસ્યાને પહોંચી વળવા, FSSAI હવે પેકેજ્ડ ફૂડ પર ચેતવણી લેબલ ફરજિયાત બનાવી રહી છે. આ પગલું ગ્રાહકોને ખાંડ, મીઠું અને ફેટના પ્રમાણ વિશે માહિતગાર કરીને સ્વસ્થ ભોજનની પસંદગીમાં મદદ કરશે, જેથી જાહેર આરોગ્યની જાળવણી થઈ શકે.