ખંભાત તાલુકામાં પ્રદૂષણથી 7 પશુઓના મોત, 15 ગંભીર
ખંભાત તાલુકામાં પ્રદૂષણથી 7 પશુઓના મોત, 15 ગંભીર
Published on: 19th August, 2026

ખંભાતના વૈણજ-આખોલના દરિયાઈ ભાઠા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી અને ઝેરી અસરના કારણે 7 પશુઓના અચાનક મોત નીપજતાં પશુપાલકોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે. અગાઉ આ જ વિસ્તારમાં 13 પશુઓના મોત થયાં હતાં અને વટાદરા-વત્રા સીમમાં 200 પક્ષીઓના મોત થયાં હતાં. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ સ્થળ તપાસ કરી પાણીના સેમ્પલ લીધા છે. મૃત પશુઓના પોસ્ટમોર્ટમ અને FSL તપાસ માટે નમૂના મોકલાયા છે.