રક્તપિત્તગ્રસ્તોના તારણહાર: પદ્મશ્રી ડૉ. સુરેશ સોનીના માનવતાવાદી કાર્યો
રક્તપિત્તગ્રસ્તોના તારણહાર: પદ્મશ્રી ડૉ. સુરેશ સોનીના માનવતાવાદી કાર્યો
Published on: 12th August, 2026

નટવર આહલપરા ગુજરાતના અગ્રણી સમાજસેવક ડૉ. સુરેશ હરિલાલ સોનીનું જીવન રક્તપિત્તના દર્દીઓ, મતિમંદ લોકો અને સમાજથી ત્યજાયેલા પીડિતોની સેવામાં સમર્પિત રહ્યું. તેમની આજીવન નિસ્વાર્થ સેવા અને માનવતાવાદી કાર્યોની કદરરૂપે ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. સેવા, ચિંતન, વાંચન અને લેખનનો સુંદર સમન્વય તેમના કાર્યોમાં જોવા મળતો. તેમની લોકપ્રિય પુસ્તિકાઓ ‘પ્રેરણા’ અને ‘ખિસકોલી’ તેમજ ‘શ્રદ્ધા’ ચિંતન પુસ્તિકાની અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ. સમાજના સહયોગથી તેમણે અનેક રક્તપિત્તગ્રસ્તોને નવી જિંદગી આપી.