રાજકોટના સંજયભાઈ સોલંકી: 9 વર્ષમાં 6 ફુલ મેરેથોન અને 20થી વધુ હાફ મેરેથોન પૂર્ણ
રાજકોટના 45 વર્ષીય સંજયભાઈ સોલંકી, જેઓ પથિકાશ્રામના મેનેજર છે, તેમણે 2012થી દોડવાની શરૂઆત કરી. અત્યાર સુધીમાં તેમણે 6 ફુલ મેરેથોન, 20થી વધુ હાફ મેરેથોન અને કેટલીક અલ્ટ્રા રન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાજેતરમાં જ તેમણે 2026ની ટાટા મુંબઈ મેરેથોન પૂર્ણ કરી છે અને હવે માથેરાન હિલની કઠિન હાફ મેરેથોનની તૈયારી કરી રહ્યા છે. વ્યસ્ત હોવા છતાં, તેઓ રોજ એક કલાકમાં 10 કિલોમીટર દોડે છે. તેઓ માને છે કે દોડવાથી જીવનમાં શિસ્ત અને મજબૂત શરીર મળે છે. તેમણે 'મેદસ્વિતામુક્ત ગુજરાત' માટે લોકોને કસરત અને સ્વસ્થ આહાર અપનાવવા અનુરોધ કર્યો.
રાજકોટના સંજયભાઈ સોલંકી: 9 વર્ષમાં 6 ફુલ મેરેથોન અને 20થી વધુ હાફ મેરેથોન પૂર્ણ
અમદાવાદ ગેસ રિફિલિંગ કૌભાંડ: 79 બોટલ સાથે એક આરોપીની ધરપકડ
અમદાવાદમાં ગેસના ભાવ વધારાનો લાભ લઈને મોટા કોમર્શિયલ ગેસ બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે ગેસ ભરવાનું કૌભાંડ ઓઢવ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે દુકાન અને ગોડાઉનમાં દરોડો પાડી એક આરોપીને રંગે હાથ પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી 79 ગેસની બોટલો, જેમાં 17 કિલોના કોમર્શિયલ બાટલામાંથી 5 કિલોના બાટલામાં ગેસ ભરવામાં આવતો હતો, તે કબજે કરાઈ છે. આ ગેસ રિફિલિંગ માટે આરોપી એક કિલોના રૂ. 230 વસૂલતો હતો. પોલીસે કુલ રૂ. 2.61 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગેસ રિફિલિંગ કૌભાંડ: 79 બોટલ સાથે એક આરોપીની ધરપકડ
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 જૂનના રોજ માત્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીમાં જ વરસાદી માહોલ જોવા મળશે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 40થી 50 કિમીની ઝડપે પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
BCCI ની કડક તાકીદ: હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા માટે ફિટનેસ સાબિત કરવી અનિવાર્ય
અફઘાનિસ્તાન સામેની આગામી વન-ડે સિરીઝ પહેલા BCCI એ હાર્દિક પંડ્યા અને રોહિત શર્માને ફિટનેસ સાબિત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. બંને ખેલાડીઓએ બેંગલુરુ સ્થિત 'સેન્ટર ઓફ એક્સેલન્સ' (CoE) ખાતે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. IPL 2026 દરમિયાન પીઠ અને હેમસ્ટ્રિંગની ઈજાઓ બાદ, BCCI કોઈપણ જોખમ લેવા માંગતું નથી. જયવર્ધનેએ રોહિતની ફિટનેસનો બચાવ કર્યો હોવા છતાં, મેડિકલ ટીમનું 'રીટર્ન ટુ પ્લે' (RTP) ક્લિયરન્સ નિર્ણાયક બનશે. ટીમની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ બંને ખેલાડીઓની રમવા પર ફિટનેસની શરત લટકતી રહેશે.
BCCI ની કડક તાકીદ: હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા માટે ફિટનેસ સાબિત કરવી અનિવાર્ય
મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા ખેડૂતોના રૂ. 2 લાખ સુધીના દેવા માફી યોજનાને મંજૂરી, લાખોને ફાયદો
મહારાષ્ટ્ર સરકારે રાજ્યના લાખો ખેડૂતોને મોટી રાહત આપતા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું કૃષિ ધિરાણ માફ કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 56 લાખ ખેડૂતોના 65 લાખથી વધુ લોન ખાતાને સીધો ફાયદો થશે. આ યોજના સપ્ટેમ્બર 2025 સુધીના બાકી પાક ધિરાણને આવરી લેશે. નિયમિત લોન ભરતા ખેડૂતોને 50,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન બોનસ પણ મળશે. આ યોજના રાજ્ય સરકારની તિજોરી પર અંદાજે 36,585 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ લાવશે.
મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા ખેડૂતોના રૂ. 2 લાખ સુધીના દેવા માફી યોજનાને મંજૂરી, લાખોને ફાયદો
અમદાવાદમાં પ્રથમ વરસાદે AMCની કામગીરીની પોલ ખોલી
ચોમાસાના પ્રથમ વરસાદ સાથે જ અમદાવાદ શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સ્પષ્ટ થઈ છે. જોધપુર વિસ્તારમાં રસ્તાની વચ્ચે ટ્રક ફસાઈ જતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. સ્થાનિકોમાં કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા થયેલું સમારકામ પણ પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું. કોન્ટ્રાક્ટરે યોગ્ય મજબૂતીકરણ વિના કાચું કામ કર્યું હોવાનું બહાર આવ્યું છે. સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તાઓની આ સ્થિતિ નાગરિકોમાં ચિંતાનો વિષય બની છે.
અમદાવાદમાં પ્રથમ વરસાદે AMCની કામગીરીની પોલ ખોલી
સુરત નજીક બારડોલી પાસે બે ST બસો વચ્ચે ભીષણ ટક્કર
સુરતના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે મહારાષ્ટ્ર પાસિંગની ST બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આગળ એક ટેન્કર પલટી જતા તેને ટાળવાના પ્રયાસમાં એક બસે સ્ટીયરીંગ ગુમાવી ડીવાઈડર કૂદી સામેથી આવતી બીજી બસ સાથે ભીષણ ટક્કર મારી. CNG બસ હોવાથી ટક્કર બાદ તેમાં આગ લાગતા 5થી વધુ લોકોના મોત નીપજ્યા. આ ઘટનાને કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
સુરત નજીક બારડોલી પાસે બે ST બસો વચ્ચે ભીષણ ટક્કર
ED દ્વારા મુંબઈ-ગુજરાતમાં 20 સ્થળોએ દરોડા, દાઉદના ખાસ સલીમ ડોલા પર સકંજો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુંબઈ અને ગુજરાતના 20 સ્થળોએ એકસાથે દરોડા પાડીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી અને ડ્રગ તસ્કર સલીમ ઈસ્માઈલ ડોલાના મની લોન્ડરિંગ અને ડ્રગ્સની હેરાફેરીના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરી છે. આ દરોડામાં પ્રીકર્સર કેમિકલ્સના સપ્લાયર્સ, મેફેડ્રોનના ઉત્પાદકો અને વિતરકો, હવાલા ઓપરેટરો તથા બેનામી મિલકતોના માલિકોને તપાસના દાયરામાં લેવાયા છે. ED પુરાવા એકત્ર કરી રહ્યું છે કે આ નેટવર્ક ગુના દ્વારા મેળવેલા નાણાંને હવાલા ચેનલ દ્વારા ભારતમાં અને વિદેશમાં મિલકતો ખરીદવા માટે રોકાણ કરતું હતું.
ED દ્વારા મુંબઈ-ગુજરાતમાં 20 સ્થળોએ દરોડા, દાઉદના ખાસ સલીમ ડોલા પર સકંજો
આકિબ નબીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી: ટ્રોલિંગ બાદ BCCIનો નિર્ણક પગલું
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ પહેલા જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબી ભારતીય ટીમના કેમ્પમાં જોડાઈ ગયો છે, ભલે તેને હજુ સુધી સત્તાવાર સ્ક્વોડમાં સામેલ કરવામાં ન આવ્યો હોય. BCCIને નબીના નામને લઈને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેની આ કેમ્પમાં એન્ટ્રી મહત્વની બની છે. રિપોર્ટ્સ મુજબ, તે બેકઅપ ખેલાડી તરીકે શુભમન ગિલની ટીમ સાથે ટ્રેનિંગ કરી રહ્યો છે. નબીની ગત રણજી ટ્રોફી સીઝનમાં શાનદાર બોલિંગ અને IPL 2026માં દિલ્હી કેપિટલ્સે 8.40 કરોડમાં ખરીદ્યા બાદ તેની પ્રગતિ પર સિલેક્ટર્સની નજર રહેશે.
આકિબ નબીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી: ટ્રોલિંગ બાદ BCCIનો નિર્ણક પગલું
ગુજરાતના વહીવટી માળખામાં મોટા ફેરફાર
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી માળખાને સુધારવા અને કામગીરીમાં વેગ લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં 6 વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીઓને, જેમાં 4 IAS અને 2 GAS અધિકારીઓનો સમાવેશ થાય છે, તેમને તેમની હાલની જવાબદારીઓ ઉપરાંત અન્ય ખાલી પડેલા મહત્વના હોદ્દાઓનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. વયનિવૃત્ત થયેલા અધિકારીઓની જગ્યાઓ ભરવા અને સરકારી કામકાજ સરળતાથી ચાલુ રહે તે હેતુથી આ આંતરિક વ્યવસ્થા કરાઈ છે.
ગુજરાતના વહીવટી માળખામાં મોટા ફેરફાર
ક્રિકેટમાં 1 ઓક્ટોબરથી મોટા ફેરફાર: બેટરને ફાયદો, બોલરો પર મુશ્કેલી
ICC દ્વારા ક્રિકેટને વધુ રોમાંચક બનાવવા માટે 1 ઓક્ટોબરથી T20 અને ટેસ્ટ ક્રિકેટમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમોના અમલથી રમતની ગતિ અને ખેલાડીઓની વ્યૂહરચનામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. ટેસ્ટમાં ખરાબ પ્રકાશમાં ગુલાબી બોલનો ઉપયોગ, T20 માં બ્રેક ટાઈમ ઘટાડવો અને કોચને મેદાન પર આવવાની છૂટ, તેમજ લેગ-સાઇડ વાઇડ બોલ અંગેના નવા નિયમો બેટ્સમેનોને ફાયદાકારક નીવડશે, જ્યારે બોલરો માટે ચોકસાઈ જાળવવી વધુ પડકારજનક બનશે.
ક્રિકેટમાં 1 ઓક્ટોબરથી મોટા ફેરફાર: બેટરને ફાયદો, બોલરો પર મુશ્કેલી
વડોદરાના માંજલપુર MLA યોગેશ પટેલનું નિધન.
વડોદરાની માંજલપુર બેઠકના લોકપ્રિય ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું દુઃખદ અવસાન થયું છે. લાંબા સમયથી બિમારીથી પીડાતા તેઓ એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે, તેમણે રાવપુરા અને માંજલપુર સહિત સમગ્ર વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સતત આઠ વખત ધારાસભ્ય રહી જનતાનો અતૂટ વિશ્વાસ સંપાદન કરનાર યોગેશભાઈએ ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ નોંધપાત્ર કાર્યો કર્યા હતા. તેમના નિધનથી રાજકીય વર્તુળો અને સમર્થકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
વડોદરાના માંજલપુર MLA યોગેશ પટેલનું નિધન.
ઈબોલા વાઈરસ અંગે કેન્દ્ર સરકારની એડવાઈઝરી જાહેર
આફ્રિકાના કેટલાક ભાગોમાં ઈબોલા વાઈરસના નવા કેસો સામે આવ્યા બાદ ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક જાહેર આરોગ્ય માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં સ્પષ્ટતા કરાઈ છે કે દેશમાં હાલ કોઈ કેસ નથી. તકેદારીના ભાગરૂપે, છેલ્લા 21 દિવસમાં ઈબોલા પ્રભાવિત દેશોની મુસાફરી કરીને પરત ફરેલા લોકોએ લક્ષણો પર નજર રાખવી. તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઊલટી, ઝાડા, અથવા અચાનક રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક જાતને આઇસોલેટ કરી આરોગ્ય તંત્રને જાણ કરવી. હેલ્પલાઈન નંબર 1075 પર સંપર્ક કરી શકાય છે.
ઈબોલા વાઈરસ અંગે કેન્દ્ર સરકારની એડવાઈઝરી જાહેર
અજય જાડેજાના સવાલ: વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં ક્યારે કરશો પસંદ?
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યાં તેણે 16 મેચમાં 776 રન બનાવી ઓરેન્જ કેપ જીતી. પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજા માને છે કે વૈભવએ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે પોતાને સાબિત કરી દીધો છે. અજય જાડેજાએ BCCI સિલેક્ટર્સને સીધો સવાલ પૂછ્યો કે "આનાથી સારું એ શું રમશે? આને અત્યારે ટીમમાં નહીં લેશો તો ક્યારે લેશો?". વૈભવને MVP અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન જેવા પુરસ્કારો પણ મળ્યા છે.
અજય જાડેજાના સવાલ: વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં ક્યારે કરશો પસંદ?
IPL જીત બાદ વિરાટ-અનુષ્કા વૃંદાવનમાં, પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની જીત બાદ વૃંદાવન પહોંચ્યા. તેમણે રાધા કેલી કુંજ આશ્રમમાં પૂજ્ય પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું. બંનેએ ઉઘાડા પગે, તુલસીની માળા પહેરીને અને માથે તિલક લગાવી સાદગીપૂર્ણ દર્શન કર્યા. આ સ્ટાર કપલનો ભક્તિભાવ અને તેમની સાદગીભરી સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
IPL જીત બાદ વિરાટ-અનુષ્કા વૃંદાવનમાં, પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ
કર્ણાટકના અધિકારો ગુજરાતને નહીં અપાય: ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનતા પહેલા જ કર્યા મોટા દાવા
કર્ણાટકના આગામી મુખ્યમંત્રી ડીકે શિવકુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સત્તામાં આવતાની સાથે જ કર્ણાટકના અધિકારોનું રક્ષણ કરશે. IPL ફાઇનલના આયોજનના અધિકાર ગુજરાતને મળવા મુદ્દે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) પાસે હોસ્ટિંગ અધિકારો હતા, પરંતુ ગુજરાત ટાઇટન્સના પ્રભાવને કારણે તે છીનવાઈ ગયા. આ ઘટનાથી રાજ્યના ક્રિકેટ ચાહકો નિરાશ થયા છે, અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે પગલાં લેવાશે. ડીકે શિવકુમાર 3 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
કર્ણાટકના અધિકારો ગુજરાતને નહીં અપાય: ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનતા પહેલા જ કર્યા મોટા દાવા
આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન!
IPL 2026ની ફાઈનલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમીને RCBને ચેમ્પિયન બનાવનાર વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM રિચર્ડ માર્લ્સે ખૂબ પ્રશંસા કરી છે. માર્લ્સે વિરાટ કોહલીની મેચ વિનિંગ ઈનિંગની પ્રશંસા કરતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ જૉશ હેઝલવુડ અને ટિમ ડેવિડના પ્રદર્શનની પણ પ્રશંસા કરી. આ બંને ખેલાડી IPL 2026માં RCB ટીમનો હિસ્સો હતા. માર્લ્સે કહ્યું કે, ગત વર્ષે જ્યારે IPLની ફાઈનલ થઈ હતી તેના એક દિવસ પહેલાં હું અહીં જ હતો, આ વખતે પણ એવું જ થયું. આ વખતે પણ અમે RCBને ચેમ્પિયન બનતા જોઈ.
આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન!
અમદાવાદમાં મોટી કાર્યવાહી: 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા.
અમદાવાદ ખાતે રાજ્ય વેરા ખાતા (State GST) ની મોબાઇલ સ્કોડ ટીમે કરોડો રૂપિયાના કિંમતી માલસામાનની મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા અંદાજે 120 કિલોગ્રામ ચાંદી, 700 ગ્રામ સોનું અને 3 કિલોગ્રામ જેટલા કિંમતી પથ્થરો જપ્ત કરાયા છે. આ ઝડપાયેલા માલસામાનની કુલ અંદાજિત કિંમત લગભગ રૂ. 4.25 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના રાજ્ય વેરા વિભાગના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહીઓમાંની એક ગણાઈ રહી છે, જેની વધુ તપાસ હાથ ધરાઈ છે.
અમદાવાદમાં મોટી કાર્યવાહી: 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા.
દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ પર 30 જુલાઈ સુધી નાહવા પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત બ્લ્યુ ફ્લેગ બીચ શિવરાજપુર બીચ પર પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ચોમાસાની ઋતુમાં દરિયામાં તોફાન અને ભારે કરંટને કારણે દરિયામાં નાહવા તથા સ્વિમિંગ કરવા પર 30મી જુલાઈ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ આ જાહેરનામું શિવરાજપુર બીચ લાઇટ હાઉસથી ખાડી-2 પોઇન્ટ સુધીના લગભગ 5 કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ પર 30 જુલાઈ સુધી નાહવા પર પ્રતિબંધ
પાટણમાં ભારે પવન સાથે વરસાદ, ગરમીથી રાહત, વીજળી ગુલ, ધૂળની ડમરીઓ ઉડી
પાટણ જિલ્લા અને શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદ શરૂ થતાં લાંબા સમયની ગરમીથી નાગરિકોને રાહત મળી હતી. જોકે, તીવ્ર પવનના કારણે શહેરના માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડી હતી અને કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વરસાદના આગમનથી તાપમાનનો પારો ગગડ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, જેનાથી લોકોએ મોટી રાહત અનુભવી.
પાટણમાં ભારે પવન સાથે વરસાદ, ગરમીથી રાહત, વીજળી ગુલ, ધૂળની ડમરીઓ ઉડી
વડોદરા AAP પ્રમુખ અશોક ઓઝા દુષ્કર્મ.
વડોદરા આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ અશોક ઓઝા સામે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધાકધમકીનો ગંભીર ગુનો નોંધાયો છે. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે અશોક ઓઝાની ધરપકડ કરી છે. આ કેસમાં તેમનો પુત્ર, પત્ની અને પુત્રી સહિત આખો પરિવાર સામેલ હોવાનો આક્ષેપ છે. પીડિતાને નોકરી અને રાજકીય હોદ્દાની લાલચ આપી દુષ્કર્મ આચર્યાનો અને નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કર્યાનો આરોપ છે. પુત્ર આનંદ ઓઝા સામે પણ દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. આ ઘટનાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
વડોદરા AAP પ્રમુખ અશોક ઓઝા દુષ્કર્મ.
સુરત જિલ્લામાં અચાનક પવન સાથે વરસાદ.
સુરત જિલ્લામાં અચાનક આવેલા વાતાવરણના પલટા બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આ વરસાદે ગરમીથી રાહત તો આપી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળુ પાક અને કેરીના બગીચાઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે. તેજ પવનના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે અને તૈયાર પાકને પણ નુકસાન થયું છે. કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં વીજળી ગુલ થવાની સમસ્યા પણ સર્જાઈ છે, જેને DGVCL ની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સુધારવામાં આવી રહી છે.
સુરત જિલ્લામાં અચાનક પવન સાથે વરસાદ.
મહેસાણા અને બહુચરાજીમાં વાતાવરણમાં પલટો.
મહેસાણા જિલ્લાના વાતાવરણમાં ગઇકાલે રાત્રે અચાનક પલટો આવ્યો હતો, જેમાં મહેસાણા શહેરમાં ઝરમર વરસાદ અને બહુચરાજી તાલુકામાં ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ગરમી અને ઉકળાટથી રાહત મેળવી રહેલા નાગરિકોને ઠંડકનો અનુભવ થયો. બહુચરાજીના ગ્રામીણ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે સારો વરસાદ થયો, જેણે આખા પંથકમાં તાપમાનમાં ઘટાડો કર્યો.
મહેસાણા અને બહુચરાજીમાં વાતાવરણમાં પલટો.
ગુજરાતમાં પ્રી-મોન્સૂન વાવાઝોડાનો કહેર.
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અમદાવાદમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વડોદરામાં વાવાઝોડાથી સોલાર પેનલો ઊડી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ છે. અનેક શહેરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
ગુજરાતમાં પ્રી-મોન્સૂન વાવાઝોડાનો કહેર.
વલસાડમાં તેજ પવન સાથે વરસાદ
વલસાડ જિલ્લામાં મોડી રાત્રે અચાનક પ્રી-મોન્સૂન વરસાદ તૂટી પડ્યો, જેના કારણે તાપમાન ઘટ્યું અને લોકોને ગરમીથી રાહત મળી. પરંતુ, આ કમોસમી વરસાદ વલસાડના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં કેરીની સીઝનના અંતિમ ચરણમાં, તેજ પવન અને વરસાદના કારણે અનેક આંબાવાડીઓમાંથી તૈયાર થયેલી કેરીઓ ખરી પડી છે. આ નુકસાનથી ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. આ ઉપરાંત, વીજ પુરવઠો ખોરવાયો અને નેશનલ હાઈવે પર દૃશ્યતા ઘટતા વાહનવ્યવહારને પણ અસર થઈ.
વલસાડમાં તેજ પવન સાથે વરસાદ
અમરેલી જિલ્લાના રામપરા ગામમાં સિંહોનો ભય
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં રાત્રિના સમયે સિંહો દીવાલ કૂદીને ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. સિંહોની ગામમાં વધતી જતી અવરજવર અને ખુલ્લેઆમ ફરવાને કારણે સ્થાનિકો ચિંતિત છે. ગ્રામપંચાયતે વનવિભાગ સમક્ષ સિંહોને ગામથી દૂર ખસેડવા અને કાયમી નિરાકરણ લાવવા તેમજ વન વિભાગમાં વધુ સ્ટાફની નિમણૂક કરવા માટે રજૂઆત કરી છે. આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી ધોરણે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લાના રામપરા ગામમાં સિંહોનો ભય
વડોદરાના ખાસવાડી સ્મશાનની ચીમની ધરાશાયી.
વડોદરામાં ભારે વાવાઝોડાને કારણે ખાસવાડી સ્મશાનગૃહની નવી ગૅસ આધારિત સ્મશાનની ચીમની ધરાશાયી થતાં તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે. આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી ગઈ હતી, પરંતુ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટ્રક્ચરલ ડિઝાઈન પ્રમાણે 12 બોલ્ટ લગાવવાના હોવા છતાં કોન્ટ્રાક્ટરે માત્ર 4 બોલ્ટ લગાવ્યા હતા. લાખોના ખર્ચે થયેલા આ કામમાં કમિશન પ્રથાની ગંધ આવતાં કોન્ટ્રાક્ટરને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડોદરાના ખાસવાડી સ્મશાનની ચીમની ધરાશાયી.
અમરેલી SP સંજય ખરાતે 159 પોલીસકર્મીઓની બદલી કરી
અમરેલી જિલ્લા પોલીસ બેડામાં મોટો ફેરફાર થયો છે. SP સંજય ખરાતે 159 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જાહેર કર્યા છે. આ બદલીઓ લાંબા સમયથી અટવાયેલી હતી, જેની રાહ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો જોઈ રહ્યા હતા. આ સામૂહિક બદલીઓથી જિલ્લાના પોલીસ તંત્રમાં નવી ગોઠવણ થઈ છે. આ ફેરફારો અમરેલી શહેરથી પીપાવાવ કોસ્ટલ દરિયાઈ મરીન પોલીસ સ્ટેશન સુધીના પોલીસ બેડામાં વિસ્તરેલા છે. અમરેલી, સાવરકુંડલા, બાબરા, રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, લાઠી, બગસરા, ધારી અને ચલાલા જેવા મોટાભાગના પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની બદલીનો સમાવેશ થાય છે.
અમરેલી SP સંજય ખરાતે 159 પોલીસકર્મીઓની બદલી કરી
ગુજરાત કેડરના IPS રાજીવ રંજન ભગત હવે SPG માં ADG!
કેન્દ્ર સરકારની કેબિનેટ નિયુક્તિ સમિતિ (ACC) દ્વારા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) માં મોટો ફેરફાર કરાયો છે. ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારી રાજીવ રંજન ભગતને SPG ના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ મે 2027 સુધી આ મહત્વની જવાબદારી સંભાળશે. રાજીવ રંજન ભગત અગાઉ SPG માં ઇન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે સેવા આપી ચૂક્યા છે અને તેમની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ પ્રમોશન અપાયું છે. આ નિયુક્તિ દેશની સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાય છે.
ગુજરાત કેડરના IPS રાજીવ રંજન ભગત હવે SPG માં ADG!
IIM ઈન્દોર વૈભવ સૂર્યવંશીની સફળતાનો અભ્યાસ કરશે.
IIM ઇન્દોર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના 'વૈભવ મોડેલ' પર દેશની પ્રથમ મલ્ટી-ડિસિપ્લિનરી સ્ટડી કરશે. આ અભ્યાસમાં રમત-મનોવિજ્ઞાન-વ્યવસ્થાપનના નિષ્ણાતો નાની ઉંમરમાં મોટી સફળતાનું ફોર્મ્યુલા શોધશે. રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ એક સિઝનમાં 72 છગ્ગા ફટકારી ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી ચૂક્યા છે. IIM તેમના ‘સક્સેસ ફોર્મ્યુલા’ ને ડીકોડ કરવા પર કામ શરૂ કરી રહ્યું છે, જે પ્રતિભાને આકાર આપતા સામાજિક, મનોવૈજ્ઞાનિક, પારિવારિક અને સંસ્થાકીય પરિબળોને પણ ઊંડાણપૂર્વક સમજશે.
IIM ઈન્દોર વૈભવ સૂર્યવંશીની સફળતાનો અભ્યાસ કરશે.
ગીરના સાવજો: 36ના સેમ્પલ, 15ના રિપોર્ટ નેગેટીવ, 16ના બાકી
ગીરના સિંહોના મોત બાદ, 36 સિંહોના બેબેસીયા, સીડીવી, અને એનાપ્લાઝ્મા ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા. આમાંથી 15 સિંહોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, જ્યારે 16ના રિપોર્ટ હજુ આવવાના બાકી છે. રોગચાળો અટકાવવા અને ઈતરડી નિયંત્રણ માટે વન વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવાયા છે, જેમાં દવાનો છંટકાવ, ઘાસ બાળવું અને ચૂનો નાખવાનો સમાવેશ થાય છે. સ્વસ્થ જણાતા સિંહોને ફરી તેમના કુદરતી આવાસમાં છોડવામાં આવ્યા છે.