ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાય તો આરોગ્ય વિભાગને તાત્કાલિક જાણ કરો
ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાય તો આરોગ્ય વિભાગને તાત્કાલિક જાણ કરો
Published on: 15th July, 2026

જૂનાગઢ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. બાળરોગ નિષ્ણાંત તબીબો સાથે ઓનલાઇન બેઠક યોજી, રોગના લક્ષણો ધરાવતું કોઈપણ બાળક જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના અપાઈ છે. હાલ જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી, પરંતુ અમુક જિલ્લાઓમાં શંકાસ્પદ કેસને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવામાં આવી રહી છે. ગરમ અને ભેજવાળી હવાને કારણે સેંડફલાય (રેતીની માખી)ની ઉત્પત્તિ વધે છે, જે આ રોગ ફેલાવે છે. આ રોગ માટે કોઈ રસી કે દવા નથી, તેથી વેકટર કંટ્રોલ જ મુખ્ય ઉપાય છે.