દાદરા નગર હવેલીમાં 2515 સર્પદંશ કેસ
દાદરા નગર હવેલીમાં 2515 સર્પદંશ કેસ
Published on: 18th August, 2026

દાદરા નગર હવેલીમાં છેલ્લા છ વર્ષમાં (2021-2026) સર્પદંશના 2515 કેસ નોંધાયા છે, જેમાં ચોમાસા દરમિયાન જોખમ વધે છે. આદિવાસી અને ખેતી પર નિર્ભર પ્રદેશમાં, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દર્દીઓને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરેક 108 એમ્બ્યુલન્સમાં પૂરતી માત્રામાં એન્ટી સ્નેક વેનમ (ASV) ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેથી દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકે અને જીવ બચાવી શકાય. નાગરિકોને સાવચેતી રાખવા અને સાપ કરડ્યા બાદ તરત જ 108 પર સંપર્ક કરવા અપીલ કરાય છે.