દિવંગતોનાં નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન પણ 207 હૃદય આજે પણ અન્યમાં ધબકે છે
દિવંગતોનાં નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન પણ 207 હૃદય આજે પણ અન્યમાં ધબકે છે
Published on: 13th August, 2026

દર વર્ષે ૧૩ ઓગસ્ટના રોજ 'અંગદાન દિવસ' મનાવાય છે. ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિને પ્રોત્સાહન અપાય છે. વર્ષ ૨૦૧૯માં સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO)ની રચના થઈ. ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૮૬૦ મૃત્યુ પશ્ચાત અંગદાતાઓ દ્વારા ૨,૫૪૮ અંગોનું દાન કરાયું, જેમાંથી ૧,૯૮૨ અંગ પ્રત્યારોપણ સફળ થયા. કુલ ૨,૫૪૮ અંગોમાં ૧,૪૧૭ કિડની, ૭૧૯ લીવર, ૨૦૭ હૃદય, ૧૭૪ ફેફસાં અને ૩૧ સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. કુલ ૧,૯૭૪ દર્દીઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરીને નવું જીવન મળ્યું.