જંતર-મંતર આંદોલનન કારણે 17 મેટ્રો સ્ટેશન બંધ
જંતર-મંતર આંદોલનન કારણે 17 મેટ્રો સ્ટેશન બંધ
Published on: 23rd July, 2026

જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન અને કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે સેન્ટ્રલ દિલ્હીમાં ટ્રાફિક ખોરવાઈ ગયો. પોલીસે મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા અને 17 મેટ્રો સ્ટેશનો બંધ રાખ્યા, જેના કારણે હજારો મુસાફરોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. આઈટીઓ ટનલ નજીક રસ્તાનો એક ભાગ બંધ થતાં વાહનચાલકોની લાંબી લાઈનો લાગી. મુસાફરીમાં બમણો સમય લાગ્યો. DMRC એ સુરક્ષાના કારણે 17 મેટ્રો સ્ટેશનો બંધ રાખ્યા હતા, જેના કારણે જાહેર પરિવહન પર દબાણ વધ્યું અને વેપારને પણ અસર થઈ.