સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિનો કોંગ્રેસ પર પ્રહાર: 'વિરોધમાં ગંભીરતાનો અભાવ'
સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિનો કોંગ્રેસ પર પ્રહાર: 'વિરોધમાં ગંભીરતાનો અભાવ'
Published on: 23rd July, 2026

નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહેલા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગ્મોએ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પર આકરા પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે 21 જુલાઈના વડાપ્રધાન નિવાસસ્થાન બહાર થયેલા પ્રદર્શનમાં ગંભીરતાનો અભાવ હતો અને કોંગ્રેસના નેતાઓએ પબ્લિસિટી સ્ટંટ કરવાને બદલે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ સાથે જોડાવાની જરૂર હતી. ગીતાંજલિએ સ્પષ્ટ કર્યું કે આ આંદોલન ગેર-રાજકીય છે અને રાજકારણીઓ વાંગચુકની પ્રતિષ્ઠાનો લાભ ઉઠાવી રહ્યા છે.