ચકા-ચકીની શહેરની સફર .
- ચકાભાઈએ માથું કૂટયું. કહે, 'તને કહ્યું તો હતું કે આ આપણો ખોરાક નથી. હવે આ શહેરમાં વૈદરાજને ક્યાં ગોતવા? આ કંઈ આપણું ગામ થોડું છે?' આ સાંભળી ચકીબેન તો જોરજોરથી રડવા લાગ્યાં.- ભારતી ભંડેરી 'અંશુ' એ ક ગામડું હતું.
ચકા-ચકીની શહેરની સફર .
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય.
ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 'સાયક્લોનિક સર્ક્યુલેશન' સક્રિય થવાને કારણે 10 જૂન સુધી અનેક જિલ્લાઓમાં તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. ઉત્તર, મધ્ય, પૂર્વીય અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સિસ્ટમને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ગરમી તથા બફારાથી રાહત મળશે.
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય.
આર. પ્રજ્ઞાનાનંદ બન્યા નોર્વે ચેસ ચેમ્પિયન, ઇતિહાસ રચનાર પ્રથમ ભારતીય
યુવા ભારતીય ચેસ સ્ટાર આર. પ્રજ્ઞાનાનંદે પ્રતિષ્ઠિત Norway Chess ટુર્નામેન્ટ જીતીને ઇતિહાસ રચ્યો છે, જે ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. નિર્ણાયક મેચમાં જર્મનીના Vincent Keymer ને હરાવીને 20 વર્ષીય પ્રજ્ઞાનાનંદે ભારે દબાણ હેઠળ ક્લાસિકલ વિજય મેળવ્યો, જેનાથી તેને 18 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મળ્યું. તેણે વિશ્વના નંબર વન Magnus Carlsen ને પણ ક્લાસિકલ મેચોમાં બે વાર હરાવ્યા. આ ઐતિહાસિક જીત સાથે તેણે ભારતીય ચેસમાં એક નવો અધ્યાય લખ્યો છે.
આર. પ્રજ્ઞાનાનંદ બન્યા નોર્વે ચેસ ચેમ્પિયન, ઇતિહાસ રચનાર પ્રથમ ભારતીય
દિલ્હીની વાત : 5 મહિનામાં 46 મૃત્યુ, ફાયર ઓડિટ ફક્ત દેખાડો
નવીદિલ્હી : રાજધાની દિલ્હીમાં છેલ્લા ૫ મહિનામાં આગ લાગવાની ૩ મોટી ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં ૪૦ જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ગેરકાયદેસર બિલ્ડીંગ તૂટી પડતા ૬ વ્યક્તિઓના મોત થયા હતા. આમ લગભગ ૪૬ લોકોએ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. દરેક અકસ્માત પછી સરકાર, પ્રશાસન અને સંબંધીત એજન્સીઓ એક જ પ્રકારની પ્રતિક્રિયા આપતા રહ્યા. 'ફાયર ઓડિટ થશે, ગુનેગારો સામે કાર્યવાહી થશે, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા થશે.
દિલ્હીની વાત : 5 મહિનામાં 46 મૃત્યુ, ફાયર ઓડિટ ફક્ત દેખાડો
બંગાળમાં મહારાષ્ટ્રવાળી : ઋતબ્રત ટીએમસીના શિંદે સાબિત થશે!
કોંગ્રેસનો કટકો કરી ટીએમસી બનાવનારા મમતાને કિનારે કરી દેવાયા, તૃણમુલમાં જૂના અને નવા વચ્ચેનો જંગ છડેચોક આવી ગયો. વિધાનસભામાં પરાજય મળ્યા બાદ ટીએમસી દ્વારા ત્રણ વખત મંથન બેઠક બોલાવવામાં આવી હતી. ૬ મેના રોજ પરિણામ બાદ બેઠક બોલવાઈ ત્યારે 10 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. તેમાં સામાન્ય ચર્ચા બાદ ૧૯ મેના રોજ ફરીથી બેઠક બોલાવવામાં આવી તેમાં ૩૫ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. મમતા તેનાથી વધારે અકળાયા હતા. ત્યારબાદ 31મેના રોજ ફરીથી બેઠક બોલાવવામાં આવી હતી.
બંગાળમાં મહારાષ્ટ્રવાળી : ઋતબ્રત ટીએમસીના શિંદે સાબિત થશે!
IND-AFG ટેસ્ટ: અફઘાન સ્પિનર્સ સામે ભારતીય બેટર્સની કસોટી, નવી ટીમનું સંતુલન
આજથી અફઘાનિસ્તાન સામે શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતીય બેટિંગ લાઈનઅપની કસોટી થશે. આ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાની ગેરહાજરીમાં, ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ ઓર્ડરમાં માત્ર કેએલ રાહુલ સિવાય કોઈએ 50 થી વધુ મેચ રમી નથી. અફઘાન સ્પિનર્સ ભારતીય બેટર્સ માટે મોટો પડકાર બની શકે છે. છેલ્લી શ્રેણીમાં સાઉથ આફ્રિકા સામે 2-0 થી મળેલી હાર બાદ ટીમ પોતાની રણનીતિમાં સુધારો કરવા ઈચ્છશે.
IND-AFG ટેસ્ટ: અફઘાન સ્પિનર્સ સામે ભારતીય બેટર્સની કસોટી, નવી ટીમનું સંતુલન
ગુજરાતની 34 જિલ્લાની જમીનમાં 9 તત્વોની ઊણપ: ખરીફ વાવણી પહેલાં ખાતરનો યોગ્ય ઉપયોગ જરૂરી
ગુજરાતમાં 34 જિલ્લાની ખેતીલાયક જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ સહિત 9 મુખ્ય તત્વોની ઊણપ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં જમીનના પ્રકાર પ્રમાણે અલગ-અલગ પોષક તત્વોની ખામી છે. ખરીફ સિઝનમાં યોગ્ય પાક ઉત્પાદન માટે વાવણી પહેલાં જમીન પરીક્ષણ કરાવી, રાસાયણિક અને જૈવિક ખાતરનો યોગ્ય ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. આનાથી જમીનની ફળદ્રુપતા વધશે અને પાકનું ઉત્પાદન સારું મળશે.
ગુજરાતની 34 જિલ્લાની જમીનમાં 9 તત્વોની ઊણપ: ખરીફ વાવણી પહેલાં ખાતરનો યોગ્ય ઉપયોગ જરૂરી
રાજ્યમાં ઝેરી દારૂથી 436 મૃત્યુ: મિથેનોલ ઉત્પાદન કરતી 837 કંપનીઓની FDA દ્વારા તપાસ
મહારાષ્ટ્રમાં ઝેરી દારૂના કારણે અત્યાર સુધી 436 નાગરિકોના મોત થયા છે. પુણેમાં થયેલા તાજેતરના લઠ્ઠાકાંડ બાદ, FDA કમિશનર તુકારામ મુંઢેએ મિથેનોલ ઉત્પાદન કરતી 837 કંપનીઓની તપાસ શરૂ કરી છે. આ કંપનીઓ દ્વારા મિથેનોલના ગેરકાયદે વેચાણ પર નિયંત્રણ લાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. મિથેનોલ, જે દારૂમાં વપરાતો ઈથેનોલ કરતાં વધુ ઝેરી છે, તેનો ઉપયોગ દવા, રંગો અને રોકેટ ઈંધણ જેવા ક્ષેત્રોમાં થાય છે. આ તપાસ આગામી પંદર દિવસમાં પૂર્ણ થશે અને અનિયમિતતા જણાશે તો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
રાજ્યમાં ઝેરી દારૂથી 436 મૃત્યુ: મિથેનોલ ઉત્પાદન કરતી 837 કંપનીઓની FDA દ્વારા તપાસ
Lunawada: બાલાસિનોર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ
બાલાસિનોર : પાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણની જાળવણી અને કુદરતી સંપદાના સંવર્ધન માટે આયોજિત આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત પાલિકા દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ સ્તરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પક્ષના અગ્રણી આગેવાનો, નગરપાલિકાનો વહીવટી સ્ટાફ્ અને શહેરના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણની સુરક્ષા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.
Lunawada: બાલાસિનોર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ
નડિયાદમાં 90 લાખના વિદેશી દારુના જથ્થાનો નાશ: 41 ગુનાઓના મુદ્દામાલનો નાશ કર્યો
ખેડા જિલ્લા પોલીસે નડિયાદ ડિવિઝન હેઠળના નડિયાદ ટાઉન, રુરલ, વડતાલ અને મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 41 ગુનાઓમાં ઝડપાયેલા 90 લાખ રૂપિયાના વિદેશી દારુના મુદ્દામાલનો નાશ કર્યો છે. કાયદાકીય મંજૂરી બાદ, સક્ષમ અધિકારીઓની હાજરીમાં, નડિયાદ નજીક પીજ ચોકડી ખાતે 30234 બોટલોનો નાશ કરવામાં આવ્યો. આ પ્રક્રિયા નડિયાદ ડિવાયએસપી વિમલ બાજપાઈ, ચારેય પોલીસ સ્ટેશનના પી.આઈ. અને મામલતદાર સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ.
નડિયાદમાં 90 લાખના વિદેશી દારુના જથ્થાનો નાશ: 41 ગુનાઓના મુદ્દામાલનો નાશ કર્યો
ખેડા: કરોડોની કેનાલમાં પાણી નહીં, ખેડૂતો સિંચાઈ માટે બોરવેલ પર નિર્ભર
મહેમદાવાદ તાલુકાના કારછાઈથી કતકપુરા જતી માઇનોર કેનાલમાં નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આજ સુધી એક ટીપું પાણી આવ્યું નથી. ખેડૂતો કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ કેનાલમાં પાણી છોડ્યા પહેલા જ તૂટવા લાગી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. હાલ ખેડૂતો પોતાના બોરવેલનું પાણી કેનાલમાં છોડી ખેતરો સુધી પહોંચાડવા મજબૂર છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે નિયમિત પાણી છોડવાની અપીલ કરાઈ છે.
ખેડા: કરોડોની કેનાલમાં પાણી નહીં, ખેડૂતો સિંચાઈ માટે બોરવેલ પર નિર્ભર
Vadodara: કરજણ યુવા ભાજપ દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ
કરજણ : કરજણ નગર ભાજપ અને યુવા ભાજપ દ્વારા પર્યાવરણ બચાવવા માટે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરેલ છે. પર્યાવરણ બચાવવા માટે વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે. કાર્યક્રમમાં નગર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, યુવા ભાજપ કાર્યકરો, હોદ્દેદારો સહિત પાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહી સંયુક્ત વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે વિવિધ જગ્યાએ લગભગ 270 જેટલા વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાના પ્રયત્નો કર્યા હતા.
Vadodara: કરજણ યુવા ભાજપ દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ
બાયડના જીતપુરથી કેશરપુરા માર્ગ નવા બનાવવા ગ્રામજનોની માંગણી, કામ અટકેલ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં જીતપુરથી આકરૂંદ રોડ પર કેશરપુરા સુધીનો માર્ગ 2017 બાદ અત્યંત બિસ્માર બન્યો છે. ભારે ટ્રકોની અવરજવરથી ધૂળ અને ચોમાસામાં ખાડાઓ સમસ્યા સર્જે છે. નવો રસ્તો બનાવવાનું કાર્ય વન વિભાગની મંજૂરી વિના વૃક્ષો કાપવાથી અટકી ગયું છે. ગ્રામજનોએ વહીવટીતંત્રને તાત્કાલિક રસ્તો બનાવવા અને અટકેલું કામ ફરી શરૂ કરવા રજૂઆત કરી છે.
બાયડના જીતપુરથી કેશરપુરા માર્ગ નવા બનાવવા ગ્રામજનોની માંગણી, કામ અટકેલ
પાદરા તાલુકાના ચિત્રાલ ગામે ભાજપ કાર્યકરોએ પર્યાવરણ દિવસની ઉજવણી કરી, વૃક્ષારોપણ કર્યું.
પાદરા તાલુકાના ચિત્રાલ ગામ ખાતે ભાજપ કાર્યકરો દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. સાગર વિદ્યાલયમાં સવારે 9 કલાકે તાલુકા ભાજપના કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપના મંત્રી બ્રિજેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર અને અન્ય અનેક આગેવાનો, સરપંચો અને સાગર વિદ્યાલયના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. કાર્યકરોએ લોકોને વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી, જેને સારો પ્રતિસાદ મળ્યો.
પાદરા તાલુકાના ચિત્રાલ ગામે ભાજપ કાર્યકરોએ પર્યાવરણ દિવસની ઉજવણી કરી, વૃક્ષારોપણ કર્યું.
ગોધરામાં સતત બીજા દિવસે પાણી નહીં: નર્મદા કેનાલના નીચા લેવલથી તંગી
ગોધરા શહેરમાં નર્મદા કેનાલમાં પાણીનું લેવલ ઘટવાને કારણે સતત બીજા દિવસે પણ પાણી પુરવઠો ખોરવાયો છે. શુક્રવારે સાંજે નર્મદા કેનાલમાં પૂરતું પાણી ન હોવાથી અને નગરપાલિકાની મોટર ડૂબી ન શકવાને કારણે પાણી પહોંચાડી શકાયું નહોતું. અગાઉ પાઇપલાઇન મરામતને કારણે પણ પાણી મળ્યું નહોતું, જેનાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. નગરપાલિકાએ સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે.
ગોધરામાં સતત બીજા દિવસે પાણી નહીં: નર્મદા કેનાલના નીચા લેવલથી તંગી
રાજપૂતી શૌર્ય અને બલિદાનનું પ્રતિક, ચિત્તોડગઢ કિલ્લો: એક અમર ગાથા
રાજસ્થાનના ગૌરવ સમાન ચિત્તોડગઢ કિલ્લો ભારતીય ઇતિહાસના શૌર્યપૂર્ણ પ્રકરણોનો જીવંત સાક્ષી છે. આ કિલ્લો રાજપૂત રાજાઓની વીરતા અને રાજપૂતાણીઓના ત્યાગની ભૂમિ છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો કિલ્લો, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયો છે. ગંભીરી અને બેડચ નદીના કિનારે, 180 મીટર ઊંચી પહાડી પર 700 એકર વિસ્તારમાં ફેલાયેલો આ કિલ્લો, ઐતિહાસિક રીતે અનેક આક્રમણો અને ત્રણ સામૂહિક જૌહર માટે જાણીતો છે. આ કિલ્લામાં સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ, જેમ કે વિજય સ્તંભ અને કીર્તિ સ્તંભ, તેમજ મીરાંબાઈનું મંદિર પણ આવેલું છે.
રાજપૂતી શૌર્ય અને બલિદાનનું પ્રતિક, ચિત્તોડગઢ કિલ્લો: એક અમર ગાથા
ઇડર બસ સ્ટેન્ડમાં નવી બે બસોનું લોકાર્પણ, ધારાસભ્યએ સામાન્ય કાર્યકર પાસે રિબીન કપાવી
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સુવિધાસભર પરિવહન સેવા આપવાના પ્રયાસરૂપે, ઇડર બસ સ્ટેન્ડ ખાતે શુક્રવારે નવી બે બસોનું લોકાર્પણ કરાયું. ધારાસભ્ય રમણ વોરાની ઉપસ્થિતિમાં, ભાજપના કાર્યકર શૈલેષ સગર દ્વારા રિબીન કપાવી બસોનું ઉદ્દઘાટન કરાયું, જે બાબતે શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી. આ નવી બસો ઇડર-વડોદરા અને ઇડર-ગાજીપુર રૂટ પર દોડશે. કાર્યક્રમમાં અનેક ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઇડર બસ સ્ટેન્ડમાં નવી બે બસોનું લોકાર્પણ, ધારાસભ્યએ સામાન્ય કાર્યકર પાસે રિબીન કપાવી
ઝઘડિયા ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ અને જાગૃતિ રેલીનું આયોજન.
ઝઘડિયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ શ્રીરામ કંપનીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉત્સાહપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિઓ અને કંપનીના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં, પર્યાવરણ જાગૃતિ રેલી યોજાઈ. આ કાર્યક્રમમાં કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ વર્કફેર્સ અને અધિકારીઓએ ભાગ લીધો. રેલી બાદ, પર્યાવરણના મહત્વને સમજાવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ઝઘડિયા ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ અને જાગૃતિ રેલીનું આયોજન.
Ankleswar: અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
અંકલેશ્વર : વિશ્વ પર્યાવરણ દિને અંકલેશ્વર પબ્લિક સ્કુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું..આ નિમિત્તે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી-પ્રાયમરી અને પ્રાયમરી ના આચાર્ય શ્રાદ્ધા પટેલ ની ઉપસ્થીતીમાં સંસ્થાના પ્રમુખ નાઝુ ફ્ડવાલાના માર્ગદર્શનથી વૃક્ષારોપાણ કરવામાં આવ્યુંહતું.આકાર્યકમમાં શિક્ષકો,નોન ટીચીંગ સ્ટાફ્ અને વાલીઓ ખાસ ઉપસ્થીત રહ્યાં હતા.
Ankleswar: અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
હિંમતનગર: નવાનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપણનો સંકલ્પ
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નવાનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ વિભાગ તથા જિલ્લા પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પ્રકૃતિના જતન-સંવર્ધન માટે સામૂહિક વૃક્ષારોપણનો સંકલ્પ લેવાયો. નવાનગર તળાવ પાળે પરંપરાગત અને સ્વદેશી વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા, જેમાં લીમડો, આંબો, ભદ્રાક્ષ જેવા પર્યાવરણ માટે ઉપયોગી છોડવાઓનો સમાવેશ થાય છે. સાંસદ, કલેક્ટર, SP સહિત મહાનુભાવોએ પણ વૃક્ષારોપણ કરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
હિંમતનગર: નવાનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપણનો સંકલ્પ
ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલનો યુગ E85 આધારિત કારના મોડલો
- ઓઇલની આયાત ઘટાડવાનો નવતર પ્રયાસ- પ્રસંગપટ- બ્રાઝિલમાં 1970ના દાયકાથી ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે : અનેક દેશોમાં નવી પોલિસીદેશનું આર્થિક તંત્ર ઓઇલ પર આધારીત બની ગયું છે. ઓઇલ હવે ભારતના આર્થિક તંત્રનું કરોડરજ્જૂ બની ગયું છે. અખાતી યુધ્ધના પગલે ઓઇલ સપ્લાયના ધાંધીયા અને વઘતા ભાવોના પગલે ભારતનું અર્થતંત્ર વારંવાર ગૂંગળામણ અનુભવતું હતું.
ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલનો યુગ E85 આધારિત કારના મોડલો
જશોદાનગરમાં દારૂ વેચતા બે બૂટલેગરો ઝડપાયા, કુખ્યાત જીતુ સહિત 4 વોન્ટેડ
શહેર પોલીસની એલ.સી.બી. ઝોન-3 ટીમે મકરપુરા વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. બાતમીના આધારે જશોદાનગર ખાતેથી 2 બૂટલેગરોને દારૂ, વાહન અને મોબાઈલ સહિત કુલ રૂ.2.47 લાખના મુદ્દામાલ સાથે પકડી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો. પકડાયેલા આરોપીઓના ફોનમાંથી મળેલી સોશિયલ મીડિયા ચેટમાં કુખ્યાત જીતેન્દ્ર ઉર્ફે જીતુ પાટણવાડીયા, રુપેશ કેન્દુલકર, અજય ઠાકોર અને અજય પંચાલને વોન્ટેડ જાહેર કરાયા. જીતુ પર અગાઉ 21 ગુના નોંધાયેલા છે.
જશોદાનગરમાં દારૂ વેચતા બે બૂટલેગરો ઝડપાયા, કુખ્યાત જીતુ સહિત 4 વોન્ટેડ
સુરેન્દ્રનગર: લીંબડી અને ચૂડા પોલીસ દ્વારા બે બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લામાં, લીંબડી અને ચૂડા પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લીધી છે. ચુડાના એક સ્પામાંથી એક મહિલા અને લીંબડી-ધંધૂકા રોડ પર ચાલતા કૂટણખાનામાંથી બીજી મહિલા મળી આવી હતી. તપાસમાં બંને પાસે ભારતમાં રહેવા માટેના જરૂરી દસ્તાવેજો ન હોવાનું જણાયું હતું. આ મહિલાઓ વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ તેમની ભારતમાં પ્રવેશ, રોકાણ અને સંડોવાયેલા અન્ય લોકો અંગે તપાસ કરી રહી છે.
સુરેન્દ્રનગર: લીંબડી અને ચૂડા પોલીસ દ્વારા બે બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ
ભરૂચ: કલક ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી, વન કવચનું કરાયું લોકાર્પણ.
જંબુસર તાલુકાના કલક ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આર.એફ.ઓ. ઉન્નતી પંચાલની આગેવાનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ ફેલાવવા માટે, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે "વન કવચ" પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું. તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભરૂચ: કલક ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી, વન કવચનું કરાયું લોકાર્પણ.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોએ વૈદિક યજ્ઞ બાદ ચાર્જ સંભાળ્યો, શહેર વિકાસની ખાતરી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સૌપ્રથમ મેયર રાકેશભાઇ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મીતાબેન રાવલ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિખીલભાઇ ચાંપાનેરી, દંડક સ્વાતીબેન માંડલીયા અને શાસક પક્ષના નેતા પીન્ટુબેન અસાણીયાએ મનપામાં વૈદીક યજ્ઞ કરી વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. આ પ્રસંગે અનેક સંગઠનના હોદેદારો અને શહેરીજનો ઉપસ્થિત રહયા હતા. પદગ્રહણ બાદ તમામ હોદ્દેદારોએ શહેરના વિકાસ માટે સતત કાર્ય કરવાની ખાતરી આપી હતી.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોએ વૈદિક યજ્ઞ બાદ ચાર્જ સંભાળ્યો, શહેર વિકાસની ખાતરી
કર્નલ સી. કે. નાયડુ: ભારતીય ક્રિકેટના ગૌરવપૂર્ણ પાયાના સ્થાપક
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં કર્નલ સી. કે. નાયડુ એક અવિસ્મરણીય નામ છે. તેઓ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન હતા અને 1932માં લોર્ડ્સ ખાતે પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમને નેતૃત્વ આપ્યું હતું. તેમનું પૂરું નામ કોટ્ટારી કનકૈયા નાયડુ હતું અને તેઓ નાગપુરમાં જન્મ્યા હતા. માત્ર 7 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કરીને, તેમણે પોતાની વિસ્ફોટક બેટિંગ અને આક્રમક ફિલ્ડિંગથી ભારતીય ક્રિકેટને નવી દિશા આપી. 1926માં MCC સામે 153 રનની તેમની ઇનિંગે ભારતને ટેસ્ટ ક્રિકેટ માટે સક્ષમ સાબિત કર્યું. 64 વર્ષની ઉંમરે પણ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી તેમણે રેકોર્ડ બનાવ્યો.
કર્નલ સી. કે. નાયડુ: ભારતીય ક્રિકેટના ગૌરવપૂર્ણ પાયાના સ્થાપક
આ વખતે દાળવડાંની મનાઈથી હું કન્ફ્યૂઝ હતું : ચોમાસું
- અગડમ્ બગડમ્-બાબા આદમ- મોડાં પડેલાં ચોમાસાનો ઈન્ટરવ્યૂ: મેં તો સમયસર નહિ પહોંચવાની દેશની સંસ્કૃતિ સાચવી છે આ વખતે ચોમાસું મોડું પડતાં બેખબરપત્રી સંશયાત્મા પેટ્રોલ-ડીઝલ બચાવી ઈલેક્ટ્રિસિટીથી ચાલતી ટ્રેન દ્વારા કેરલમ પહોંચ્યો અને ચોમાસું જાણે કોઈ વિપક્ષી નેતા હોય તેમ તેને આકરા સવાલો પૂછવા લાગ્યો. 'કેમ બોસ, આ વખતે આટલા મોડા? કેલેન્ડર જુઓ છો કે નહિ ?''ઓય મિસ્ટર', ચોમાસાએ જોકે, શાસક પક્ષના નેતા જેમ બેખબરપત્રીને જ ધમકાવ્યો.
આ વખતે દાળવડાંની મનાઈથી હું કન્ફ્યૂઝ હતું : ચોમાસું
ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો
- E85માં લગભગ 85 ટકા ઈથેનોલ, 15 ટકા પેટ્રોલ - ફ્લેક્સ-ફ્યુલ ડિસેમ્બર 2026 સુધીમાં 500 અને ડિસેમ્બર 2027 સુધીમાં 5,000 પેટ્રોલ પંપ પર મળશે નવી દિલ્હી : વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભારતે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળું E85 ઇંધણ લોન્ચ કર્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર તેની શરૂઆત કરી હતી. E85 પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ રૂ. ૨૦ પ્રતિ લિટર સસ્તું રહેશે.
ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો
ખૂંખારબહારવટિયાનું કપાયેલું મસ્તક જ્યારે બોલતું થાય છે....
- વાત-વિચાર-શિશિર રામાવત- સૌના મનમાં એક જ લાલચ હતી : કેલિફોર્નિયા જઈશું, જમીન ખોદીશું, સોનું બહાર કાઢીશું ને માલામાલ બની જઈશું!ખાણિયાઓને એ ક્યાં ખબર હતી કે એમના નસીબમાં ઝગમગતું સોનું નહીં, પણ શોષણ, અન્યાય અને અપમાન લખાયેલાં છે!આ વાત હશે, સમજોને કે, ગઈ સદીના મધ્યભાગની. જીન-લુઈ બેરો નામના એક ફ્રેન્ચ ડિરેક્ટર-પ્રોડયુસર એક વખત સાઉથ અમેરિકન દેશ ચિલી ગયેલા.
ખૂંખારબહારવટિયાનું કપાયેલું મસ્તક જ્યારે બોલતું થાય છે....
પૂર્વ ગુજરાતમાં જળસંકટ: 4 દિવસમાં 2 હજાર ટેન્કરથી 80 લાખ લિટર પાણી પહોંચાડાયું
ગત સોમવારે આવેલા વાવાઝોડા બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીનું ગંભીર સંકટ સર્જાયું છે. તંત્ર દ્વારા છેલ્લા 4 દિવસમાં 2 હજાર ટેન્કર દોડાવીને 80 લાખ લિટર પાણી પહોંચાડવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆતથી જ શહેરના અનેક વિસ્તારોમાં ઓછા દબાણ અને પાણીની અછતની સમસ્યા રહી છે. આજવા સરોવરમાંથી મળતા પાણીમાં ઘટાડો થતાં પોન્ટૂન પંપ દ્વારા પાણી ખેંચવામાં આવી રહ્યું છે. વધુમાં, મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણને કારણે રોજ 30 લાખ લિટર પાણી વેડફાઈ રહ્યું છે, જેને કારણે પાણી પુરવઠા વિભાગ સમારકામ કરી રહ્યું છે.