Gen-Z ને આકર્ષવા ભાજપના સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી સહિતના નેતાઓ મેદાનમાં
Gen-Z ને આકર્ષવા ભાજપના સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી સહિતના નેતાઓ મેદાનમાં
Published on: 22nd August, 2026

ભારતીય જનતા પાર્ટીએ Gen-Z યુવાનો સાથે સંપર્ક મજબૂત કરવા એક ખાસ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ માટે એક ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમની રચના કરાઈ છે, જેમાં સંગઠનાત્મક અનુભવ અને યુવા નેતૃત્વનો સમન્વય છે. આ ટીમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે, ગુજરાતના મંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢના મંત્રી ઓ.પી. ચૌધરીનો સમાવેશ થાય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને અપેક્ષાઓને સમજવાનો અને તેમને ભાજપના ટોચના નેતૃત્વ સાથે સંવાદ સાધવાનું મંચ પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમ રોજગાર, ટેકનોલોજી, સ્ટાર્ટ-અપ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર યુવાનોના વિચારોને એજન્ડામાં સામેલ કરશે.