રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાયને ક્લિનચીટ
રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાયને ક્લિનચીટ
Published on: 18th August, 2026

રામ મંદિરના દાન ચોરીના મામલે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી SIT નો અંતિમ રિપોર્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપાયો છે. આ રિપોર્ટમાં ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને પૂર્વ સભ્ય અનિલ મિશ્રાને નિર્દોષ જાહેર કરાયા છે. અગાઉ તેમના પર પણ પ્રશ્નો ઊભા થયા હતા. રિપોર્ટમાં 8 આરોપીઓના નામ છે, જેમની ધરપકડ થઈ ચૂકી છે. આ કેસની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ બીજી SIT દ્વારા પણ ચાલુ છે.