અનામત મુદ્દે ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી વચ્ચે ગરમાગરમ ચર્ચા
અનામત મુદ્દે ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી વચ્ચે ગરમાગરમ ચર્ચા
Published on: 29th August, 2026

અનુસૂચિત જાતિ અનામતમાં ક્રીમી લેયર અને સબ-કેટેગરાઇઝેશનના મુદ્દે NDA ના બે મહત્ત્વના સાથી પક્ષો વચ્ચે રાજકીય ટકરાવ શરૂ થયો છે. LJP (રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝી અને તેમના પુત્ર સંતોષ સુમન પાસેથી રાજીનામું માંગી લીધું છે. પાસવાન દલિત અનામતમાં ભાગલા અને ક્રીમી લેયરનો વિરોધ કરે છે, જ્યારે માંઝી સબ-કેટેગરાઈઝેશનની તરફેણમાં છે જેથી અનામતનો લાભ અત્યંત પછાત વર્ગો સુધી પહોંચે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે SC-ST અનામતમાં ક્રીમી લેયર લાગુ થતું નથી.