પેટ્રોલમાં 30% ઈથેનોલ મિશ્રણ: સરકારનો નવો આદેશ જાહેર.
પેટ્રોલમાં 30% ઈથેનોલ મિશ્રણ: સરકારનો નવો આદેશ જાહેર.
Published on: 20th May, 2026

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)એ પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ અંગે નવા નિયમો જાહેર કર્યા છે. હવે પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ 20% થી વધારીને 30% સુધી કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે 15 મે 2026ના રોજ આ નિર્ણયને મંજૂરી આપી હતી. નવા ધોરણો મુજબ 22, 25, 27 અને 30 ટકા મિશ્રણ માટે ગુણવત્તા માપદંડ નક્કી કરાયા છે. આ પગલાથી ક્રૂડ ઓઈલ પરની આયાત નિર્ભરતા અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે, સાથે સ્થાનિક ખાંડ અને બાયોફ્યુઅલ ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે.