કિરણ બેદીએ ભાજપ સરકારના નિર્ણય પર વ્યક્ત કર્યું દર્દ,
કિરણ બેદીએ ભાજપ સરકારના નિર્ણય પર વ્યક્ત કર્યું દર્દ,
Published on: 27th May, 2026

કેન્દ્રની ભાજપ સરકારે પ્રતિષ્ઠિત દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાનો આદેશ આપ્યો છે, જેના પર પૂર્વ IPS ઓફિસર કિરણ બેદીએ ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી તેમને એવો આઘાત લાગ્યો જાણે તેમને પોતાના ઘરમાંથી જ બેદખલ કરાઈ રહ્યા હોય. 14 વર્ષની ઉંમરથી ક્લબ સાથે જોડાયેલી યાદો અને ટેનિસ રમવાની શરૂઆતને યાદ કરીને તેમણે જણાવ્યું કે, આ ક્લબ માત્ર અમીરો માટે જ નહીં, પરંતુ ઘણા લોકો માટે બીજા ઘર સમાન છે. તેમણે સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે.