રાશન ડીલરો અને લાભાર્થીઓ માટે કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણયો જાહેર
રાશન ડીલરો અને લાભાર્થીઓ માટે કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણયો જાહેર
Published on: 27th May, 2026

કેન્દ્રીય કેબિનેટે રાશન વ્યવસ્થાને વધુ સુલભ બનાવવા માટે PDS (પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ) હેઠળ 'સાર્થક-પીડીએસ' યોજના શરૂ કરી છે, જેમાં 25,530 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ નિર્ણયથી 80 કરોડ લોકોને સીધી અસર પડશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, રાશન નોંધણીથી લઈને ડીલરો સુધી ત્રણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય સરકારોને મદદ, ટેકનોલોજીનો ઉપયોગ અને AI દ્વારા લાભાર્થીઓની નોંધણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દેશમાં વધી રહેલી લૂ અંગે પણ ચર્ચા કરવામાં આવી અને તેના નિવારણ માટે પગલાં ભરવાની સૂચના અપાઈ.