મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન: 4-5 લોકો દટાયા
મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન: 4-5 લોકો દટાયા
Published on: 12th August, 2026

મુંબઈના કુર્લાના ચિરાગ નગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે બુધવારે વહેલી સવારે ભૂસ્ખલનની દુર્ઘટના બની છે. આ ઘટનામાં ગૌસિયા ચાલ પાસે પહાડનો એક ભાગ ધસી પડતાં 4થી 5 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી છે. BMC, ફાયર બ્રિગેડ, પોલીસ અને NDRF ની ટીમો કાટમાળ હટાવવાની કામગીરીમાં લાગી ગઈ છે.