અમરેલીમાં PM સ્વનિધિ મહોત્સવ: 15 લાભાર્થીઓને લોનના ચેક અને ક્રેડિટ કાર્ડ અપાયા
અમરેલીમાં PM સ્વનિધિ મહોત્સવ: 15 લાભાર્થીઓને લોનના ચેક અને ક્રેડિટ કાર્ડ અપાયા
Published on: 13th June, 2026

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણી નિમિત્તે અમરેલી નગરપાલિકા ખાતે PM સ્વનિધિ યોજના હેઠળ સ્વનિધિ મહોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં 15 લાભાર્થીઓને સ્થળ પર જ લોનના ચેક, બે લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ, ફેરિયાઓને પરિચય બોર્ડ અને નવા લાભાર્થીઓ માટે લોન અને ક્રેડિટ કાર્ડના અરજીપત્રોનું વિતરણ કરાયું. ડિજિટલ પેમેન્ટ માટે મર્ચન્ટ ક્યુઆર કોડ પણ અપાયા. અમરેલી નગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી 3,058 શહેરી ફેરિયાઓને કુલ 7.83 કરોડની ટર્મ લોન અપાઈ છે.