નવસારીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
નવસારીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
Published on: 17th August, 2026

નવસારી મહાનગરપાલિકા દ્વારા દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રભક્તિના અદભુત માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. દુધિયા તળાવ ખાતે મેયર અશોક ધોરાજીયા દ્વારા ધ્વજવંદન કરી શહીદોને નમન કરવામાં આવ્યા. તેમણે પૂર હોનારતનો સામનો કરવા બદલ નવસારીની જનતાની પ્રશંસા કરી અને 'સ્વચ્છ સર્વેક્ષણ'માં સહકારની અપીલ કરી. વિવિધ શાળાઓની વિદ્યાર્થિનીઓએ દેશભક્તિ ગીતો અને નૃત્યો પર મનમોહક પ્રસ્તુતિઓ આપી, જેમાં ગરબા, પિરામિડ ડાન્સ અને ડાંગી નૃત્યનો સમાવેશ થાય છે.