નેપાળ પૂર હોનારતમાંથી જાફરાબાદના મહંત ગોમતીદાસ હેમખેમ પરત ફર્યા
નેપાળ પૂર હોનારતમાંથી જાફરાબાદના મહંત ગોમતીદાસ હેમખેમ પરત ફર્યા
Published on: 19th September, 2026

નેપાળમાં આવેલી ભયાવહ પૂરની હોનારત બાદ સંપર્ક વિહોણા થયેલા અમરેલીના જાફરાબાદ સ્થિત ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ સુરક્ષિત રીતે પરત ફરતા ભક્તો અને સેવકગણમાં આનંદની લહેર પ્રસરી છે. ગોમતીદાસ બાપુ 10 તારીખે અયોધ્યાથી નેપાળની ધાર્મિક યાત્રાએ ગયા હતા, જ્યાં પૂરના કારણે તેમનો સંપર્ક તૂટી ગયો હતો. ગુમ થયેલા લોકોની યાદીમાં તેમનું નામ પણ સામેલ હતું, જેના કારણે ભારે ચિંતા વ્યાપી હતી. જોકે, તેમની સુરક્ષિત ઘર વાપસી થતાં જાફરાબાદમાં ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.