સંસદ ચોમાસુ સત્ર: પેપર લીક, રામ મંદિર દાન ચોરી, અને રાષ્ટ્રગાન અપમાન પર હોબાળો શક્ય
સંસદ ચોમાસુ સત્ર: પેપર લીક, રામ મંદિર દાન ચોરી, અને રાષ્ટ્રગાન અપમાન પર હોબાળો શક્ય
Published on: 20th July, 2026

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, જેમાં વિપક્ષ NEET-UG પેપર લીક, મોંઘવારી, અને રામ મંદિરના દાન ચોરી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. બીજી તરફ, સરકાર 7 વિધેયકો રજૂ કરશે, જેમાં સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવા અને 'વંદે માતરમ'નું અપમાન ગુનો ગણવા સંબંધિત બિલનો સમાવેશ થાય છે. આ બિલ કાયદો બનશે તો રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન'ની જેમ જ તેને કાનૂની સુરક્ષા મળશે અને અપમાન કરનારાઓને સજા થઈ શકે છે.