રોહિત શર્માની નિવૃત્તિ અંગે શુભમન ગિલે સ્પષ્ટતા કરી
રોહિત શર્માની નિવૃત્તિ અંગે શુભમન ગિલે સ્પષ્ટતા કરી
Published on: 20th July, 2026

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિ અંગે ચાલી રહેલી અટકળો પર ભારતીય વન-ડે ટીમના કેપ્ટન શુભમન ગિલે પૂર્ણવિરામ મૂક્યું છે. લોર્ડ્સમાં રમાયેલી 3rd ODI મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ગિલે સ્પષ્ટ કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં રોહિતના સંન્યાસ અંગે કોઈ જ ચર્ચા થઈ નથી. મીડિયામાં મેચ પહેલા એવી અફવાઓ હતી કે આ રોહિતની છેલ્લી વન-ડે હોઈ શકે છે. જોકે, રોહિતે 138 રનની શાનદાર ઇનિંગ રમીને જવાબ આપ્યો હતો. ગિલે જણાવ્યું કે રોહિત ભાઈએ અમને નિવૃત્તિ વિશે કંઈ કહ્યું નથી, અને આ બધી વાતો માત્ર મીડિયામાં જ ચાલી રહી છે.