ભારત-શ્રીલંકા વચ્ચે ૧૩મી દરિયાઈ કવાયત વિશાખાપટ્ટનમમાં શરૂ
ભારત-શ્રીલંકા વચ્ચે ૧૩મી દરિયાઈ કવાયત વિશાખાપટ્ટનમમાં શરૂ
Published on: 20th September, 2026

ભારત અને શ્રીલંકા વચ્ચેની ૧૩મી દ્વિપક્ષીય દરિયાઈ કવાયત ‘SLINEX-26’નું આયોજન વિશાખાપટ્ટનમ ખાતે ૧૭થી ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહ્યું છે. આ કવાયતમાં ભારતીય નૌકાદળના INS કવરત્તી અને INS જ્યોતિ, જ્યારે શ્રીલંકા નૌકાદળનું SLNS સિંદુરાલા ભાગ લઈ રહ્યા છે. ૨૦૦૫માં શરૂ થયેલી આ કવાયત દરિયાઈ સહયોગ અને હિંદ મહાસાગરમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે.