ભાવનગર નકલી દારૂકાંડમાં 5 પોલીસકર્મી સસ્પેન્ડ
ભાવનગર નકલી દારૂકાંડમાં 5 પોલીસકર્મી સસ્પેન્ડ
Published on: 19th August, 2026

ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 4 લોકોના મોત થયા છે, જ્યારે 18 થી વધુ લોકો સારવાર હેઠળ છે. પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના પગલે SP દ્વારા 5 પોલીસકર્મીઓને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મૃતકોમાં કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહીલ, ઘનશ્યામસિંહનો સમાવેશ થાય છે, જ્યારે નરેન્દ્ર યાદવ શંકાસ્પદ છે. 4 બુટલેગરોને પણ ડિટેઇન કરાયા છે.