ભારતીયો માટે થાઈલેન્ડના વિઝા નિયમોમાં મોટો ફેરફાર
ભારતીયો માટે થાઈલેન્ડના વિઝા નિયમોમાં મોટો ફેરફાર
Published on: 15th July, 2026

થાઈલેન્ડ ફરવા જઈ રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી (વિઝા વિના પ્રવેશ) હાલ પૂરતી ચાલુ રાખી છે, પરંતુ રોકાણનો સમયગાળો 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરી દેવાયો છે. આ નિર્ણય પ્રવાસીઓની મુસાફરીની પેટર્ન અને પર્યટન વ્યવસ્થાને ધ્યાનમાં રાખી લેવાયો છે. તાજેતરમાં પ્રસ્તાવિત નિયમોના કારણે ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી, જેના પગલે સરકારે આ સુવિધા ચાલુ રાખી છે. આ ફેરફાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે કરાયો છે.