ભેળસેળના કાળીનાગને પકડનારા કૃષ્ણ સમાન અધિકારીઓ: તુકારામ મુંડે પ્રેરણાદાયી
ભેળસેળના કાળીનાગને પકડનારા કૃષ્ણ સમાન અધિકારીઓ: તુકારામ મુંડે પ્રેરણાદાયી
Published on: 04th September, 2026

જન્મઅષ્ટમી નિમિત્તે, કૌરવો જેવા દુષણોનો નાશ કરનાર ભગવાન કૃષ્ણની જેમ, મહારાષ્ટ્રના ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન કમિશ્નર તુકારામ મુંડે ભેળસેળખોરો રૂપી કાળીનાગોનો નાશ કરી રહ્યા છે. પોતાના સ્વાર્થ માટે ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ કાળીનાગ સમાન છે. તુકારામ મુંડે આવા ભેળસેળીયાઓને ડરાવી રહ્યા છે. ફાઇવ સ્ટાર હોટલો અને મોટી બ્રાન્ડેડ કંપનીઓ સામે પગલાં લઈને તેમણે પ્રજાનો વિશ્વાસ જીત્યો છે. તેમની ૧૭ વાર બદલી થઈ હોવા છતાં, તેઓ જ્યાં જાય છે ત્યાં ભેળસેળ કરનારાઓની ઊંઘ હરામ કરી દે છે.