ઇથેનોલથી કાર બંધ નહીં થાય, માઇલેજ પર નજીવી અસર: ગડકરી
ઇથેનોલથી કાર બંધ નહીં થાય, માઇલેજ પર નજીવી અસર: ગડકરી
Published on: 10th July, 2026

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે E20 ઇંધણથી ઇથેનોલની ઓછી કેલોરિફિક વેલ્યૂને કારણે માઇલેજમાં નજીવો ઘટાડો થઈ શકે છે, પરંતુ એન્જિનને નુકસાન કે કાર બંધ પડવાના દાવા ખોટા છે. તેમણે કહ્યું કે ARAI અને વાહન ઉત્પાદકોએ વ્યાપક પરીક્ષણો કર્યા બાદ જ E20 લાગુ કરાયું છે. જૂની કારોમાં જરૂરિયાત મુજબના પાર્ટ્સ મફતમાં બદલવાની સૂચના અપાઈ છે. સરકારનો હેતુ સસ્તું અને પર્યાવરણમૈત્રી ઇંધણ ઉપલબ્ધ કરાવવાનો છે.